SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૨૦ ૯૯ કવિતાનક કણસંતાનક સોમ સહિત આશ્વાસન કાયોપગ કબૂટક અજકરક દુંદુભક શંખ શંખનાભ શંખવણભ કંસ કંસનાભ કંસવાભિ નીલ નીલાલભાસ રૂપ્પી રૂપ્રભાસ ભસ્મ ભસ્મરાશિ તિલ તિલ પુષ્પવર્ણ દક દકવણું કવ્ય વધ્ય ઈન્દ્રાગ્નિ ધૂમકેતુ હરિ પિંગલ બુધ શુક્ર બૃહસ્પતિ રાહુ અગસ્તિ માણવક કામસ્પર્શ ધુર પ્રમુખ વિકટ વિસન્ધિકલ્પ પ્રકલ્પ જટાલ અરૂણ અગ્નિ કાલ મહાકાળ સ્વસ્તિક સૌવસ્તિક વર્ધમાનક પ્રલમ્બ નિત્યાલોક નિત્યદ્યોત સ્વયંપ્રભ અવભાસ શ્રેયસ્કર ક્ષેમકર આશંકર પ્રભંકર અરજ વિરજા અશોક વીતશોક વિવર્ત વિવસ્ત્ર વિશાલ શાલ સુવૃત. અનિવર્તિ એકજટી દ્વિજતી કટ કટિક રાજ અર્ગલ આ પ્રમાણે અદ્યાશી સંખ્યાત્મક નામો કહ્યા છે. કનકની જેવા એક દેશથી નામવાળા પૂર્વોક્ત ક્રમથી પાંચ ગ્રહો સમજવા નીલ અને રૂપ્પીના બબ્બે પ્રકારના નામોની સંભાવના હોવાથી ચાર નામો થાય છે. હવે આજ નામોના સુખાવબોધ માટે અહીં સંગ્રહણી ગાથાઓ કહી છે. પાહુડ-૨૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ [૨૦૮-૨૧૪] સૂત્રની ફલશ્રુતિરૂપ સમગ્ર. શાસ્ત્રના ઉપસંહાર રૂપથી આ છેલ્લું સૂત્ર છ ગાથા દ્વારા કહ્યું છે. ઈત્યાદિ આ પૂર્વકથિત પ્રકારથી પ્રકૃતાર્થ અર્થાત્ જીનવચન તત્ત્વને જાણનારાઓના અભ્યદય માટે આ પ્રમાણે પ્રકટાર્થ હોવા છતાં પણ અભવ્ય જનોને દયથી એટલે કે વાસ્તવિકપણાથી દુર્લભ આ પ્રમાણે આ શાસ્ત્ર ઉત્કીર્તિત કરેલ છે, આ ભગવતી અથતું જ્ઞાનૈશ્ચર્ય રૂપ દેવતા જ્યોતિષરાજ પ્રજ્ઞપ્તિ એટલે કે જ્ઞાન વિશેષ રૂપ દેવતાને સ્વયે ગ્રહણ કરીને જેને તેને કહેવું નહીં આ શાસ્ત્ર સ્વયં સમ્યક પ્રકારથી જાણીને સ્તબ્ધ-જડ અર્થાત્ ગૌરવશાલી પ્લાદિમદ યુક્ત અચિંત્ય ચિંતા મણિ સમાન આ તથા તેને જાણનારા આચાર્યાદિને અવજ્ઞાથી જુવે છે. તે અવજ્ઞા દુરત નરકાદિમાં પાડનારી છે, તેથી તેના ઉપકાર માટે તેવાઓને આપવું ન જોઈએ. તથા માનિમાન યુક્ત અલ્પશ્રુત એવાઓને કહેવામાં આવે તો પણ રૂચિકર થતું નથી, શ્રવણ માટે ઇચ્છા ધૃતિ-ધર્મ આત્મવિશ્વાસ - ઉત્સાહ હોય તો પણ અભાજન- ન હોય તેવાને ઉપદેશ કરવો. ઈત્યાદિ ધમોપદેશકારોની કુળથી બહાર તથા ગણિસમૂહથી બહાર કરેલા હોય કારણ કે જ્ઞાન વિનયાદિથી રહિત તથા ભગવાનું અહંતુ સ્થવિર ગણધરની મર્યાદાથી એટલે કે ભગવદાદિએ કરેલ વ્યવસ્થાથી વ્યતિક્રાંત-રહિત હોય આ પ્રમાણે આપ્ત વચનવ્યવસ્થિતનું તથા ભગવદીંદાદિ વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાવાળાને દીર્ઘ સંસારિતા પ્રાપ્ત થાય છે. ધૃતિ ઉત્થાન ઉત્સાહ કર્મ બલવીર્યવાળો પુરૂષ સૂર્યપ્રજ્ઞપ્તિ વિષયક જ્ઞાન પોતે મુમુક્ષુ હોવા છતાં પણ શિખ્યું હોય અગર ઉપદિષ્ટ કરેલ હોય તે નિયમથી આત્મામાં ધારણ કરવું તે કયારેય પણ અવિનીત અને ઉદ્ધતને આપવું નહીં આ સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર મિથિલા નગરીમાં શ્રી ભગવાનું વર્ધમાન સ્વામીએ સાક્ષાત્ કહી. છે, તેથી અર્થ પ્રણેતા હોવાથી તથા વર્તમાન તીર્થાધિપતિ હોવાથી શાસ્ત્રના અંતમાં મંગલ કામના માટે તેમને નમસ્કાર કહેવામાં આવે છે. કલેશાદિ દોષોથી રહિત મહાત્મા સ્વરૂપ શ્રી ભગવાનના સુખ ઉપજાવનારા ચરણકમલ જે મોક્ષને પ્રાપ્ત કરાવનારા હોય છે, એ ચરણોમાં વિનયથી નમ્ર એવો હું વંદના કરું છું. સૂરપન્નત્તિ-ગુર્જરછાયાપૂર્ણ ઉવંગ-૧૬-ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy