SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ - ૩/૮ી.સ./૧૫ બધા અચ્છ ઈત્યાદિથી પ્રતિરૂપ પર્યન્તના વિશેષણોવાળા છે. આ આલિ ઘરથી આરંભીને આદર્શ ઘર સુધીના સઘળા ઘરોમાં અલગ અલગ રૂપે અનેક હસાસનથી આરંભીને અનેક દિશાસૌવસ્થિકાસન સુધીના આસનો છે. એ વનખંડમાં સ્થળે સ્થળે એ એ સ્થાનો પર અનેક જાઈના મંડપો છે. ચમેલીના પુષ્પોથી લદાયેલા અનેક મંડપો છે. અનેક શ્યામલતાઓના મંડપો છે. આ બધા મંડપો સર્વદા પુષ્પોથી યુક્ત રહે છે. યાવતુ એ બધા પ્રતિરૂપ સુધીના સઘળા વિશેષણોવાળા છે. આ જાતિય મંડપોમાં યાવતુ યૂથિકા મંડપોથી લઈને શ્યામલતા મંડપો સુધીના મંડપોમાં અનેક પૃથ્વી શિલા પટ્ટકો કહેવામાં આવેલ છે. તેમાં કેટલાક પૃથ્વીશિલાપટ્ટકો હંસાનોની જેવા છે. અને કેટલાક કોંચાસનની જેમ કેટલાક પ્રણતાસન સમાન રહેલા છે. અને કેટલાક પૃથ્વીશીલા પટ્ટકો દિશા સૌવસ્તિકાસનની માફક સ્થિત રહેલા છે. તેનો સ્પર્શ આજનક અજીન ચર્મમય વસ્ત્ર, કોમળરૂ, બૂર નામની વનસ્પતિ માખણ તેના સ્પર્શ જેવો સુકુમાર કોમળ સ્પર્શ તેનો છે. સર્વ પ્રકારથી રત્નમય છે. અચ્છ યાવતુ પ્રતિરૂપ છે. એ ઉત્પાદપર્વત વિગેરે પર્વતો પર જે હંસાસન વિગેરે આસનો છે, તે અને અનેક પ્રકારના સંસ્થાનવાળા પૃથ્વીશિલા પટ્ટકો છે, તેના પર અનેક વાનäતર જાતીના દેવ અને દેવિ યોનો સમૂહ સુખ પૂર્વક ઉઠે બેસે છે અને સૂવે છે. અને મૈથુન સેવન કરે છે. પૂર્વ જન્મમાં એ પ્રકારના ધર્માનુષ્ઠાન સંબંધિ અપ્રમાદ અને ક્ષાત્યાદિ શુભ આચર ણોથી મેળવેલ છે. સઘળા જીવો સાથે મૈત્રિભાવ સત્યભાષણ પદ્વવ્યાનપહરણ- તથા સુશીલપણુ વિગેરે પ્રકારના શુભ પરાક્રમોથી મળેલ હોવાથી શુભ, એકાન્તતઃ અશુભ ફળને દૂર કરીને તાત્વિક શુભ ફળનેજ પ્રદાન કરવાવાળા હોય છે. એ પ્રકારના પોતે પૂર્વ જન્મમાં કરેલા કામના કલ્યાણરૂપ ફળ વિપાકને ભોગવતા સુખશાંતિ પૂર્વક પોતાના સમયને વીતાવતા રહે છે. એ પદ્મવર વેદિકાની અંદરનું વનખંડ કંઇક ન્યુન બે યોજનના વિસ્તારવાળું છે. તથા તેનો પરિક્ષેપ પદ્મવર વેદિકાની બહારના ભાગમાં રહેલા વનખંડના પરિક્ષેપ જેવો છે. ઈત્યાદિ [૧૬] હે ભગવન જંબૂદ્વીપના કેટલા દ્વારા કહ્યા છે? હે ગૌતમ! જંબૂદ્વીપના ચાર દ્વરો કહેલા છે. વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજીત. [૧૬૭-૧૬૮] હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વિીપનું વિજય નામનું દ્વાર ક્યાં આવેલ છે ? જંબૂદ્વીપના મધ્યમાં રહેલ મંદર પર્વની પૂર્વ દિશામાં ૪૫ ૦૦૦ યોજન આગળ જવાથી જંબુદ્વીપની પૂર્વના અન્તમાં તથા લવણ સમુદ્રમાં પૂર્વાર્ધના પશ્ચિમ ભાગમાં સીતામહાનદીની ઉપર જંબુદ્વીપનું વિજય નામનું દ્વાર કહેલ છે. આ દ્વાર આઠ યોજનની ઉંચાઈ વાળું છે. અને ચાર યોજન પહોળું છે. અને તેનો પ્રવેશ પણ ચાર યોજનનો છે. તેનો રંગ સફેદ છે. કેમકે તે અંક રત્નોનું બનેલ છે. તેનું શિખર શ્રેષ્ઠ સુવર્ણનું બનેલ છે. તેના પર ઈહા મૃગના,-બળદના, ઘોડાના ચમરી ગાયના કુંજર હાથીના. વનલતાઓના અને પદ્મલતાઓના ચિત્રો બનેલા છે. આ દ્વાર વજ વેદિકાઓથી કે જે તેના થાંભલાઓ પર બનેલ છે. અને ઘણાજ અધિક પ્રમાણથી આકર્ષિત લાગે છે. વિદ્યાધરોના સમ શ્રેણિવાળા યુગલો- યંત્રમાં લગાડેલા જેવા જણાય છે. તે હજારો રૂપોથી યુક્ત છે. પોતાની પ્રભા કાંતીથી ચમકતા રહે છે. ઘણાજ વધારે પ્રમાણમાં તેજસ્વી જણાય છે. તેનો સ્પર્શ વધારે સુખજનક છે. તેનું રૂપ વધારે સોહામણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy