SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ જીવાજીવાભિગમ – ૩/દ્વીપસમુદ્ર/૧૬૩ પ્રકારના મણિયોના બનાવવામાં આવેલ છે. રૂપ-મનુષ્ય ચિત્રોના રૂપ શિવાય બીજા જે ચિત્રો છે, તે બધા અનેક પ્રકારના મણિયોના બનેલા છે. રૂપ સંઘાટક અનેક જીવોની જોડીયોના ચિત્ર પણ અનેક પ્રકારના મણીયોથી બનેલ છે. તેના પડખા આજુબાજુના ભાગો એક અંક રત્નોનાજ બનેલા છે. મોટા મોટા વંશો જ્યોતિરસ નામના રત્નોના બનેલા છે.-મોટા વંશોને સ્થિર રાખવા માટે તેની બન્ને બાજુમાં તીર્દાપણાથી રાખવામાં આવેલ વાંસ પણ જ્યોતી રત્નોના જ બનેલા છે. વાંસોની ઉપર છાપરા પર રાખવામાં આવનાર લાંબી વળીયોની જગ્યાએ રાખવામાં આવનારી જે પટીયો છે. તે ચાંદીની બનેલી છે. કંબાઓને ઢાંકવા માટે તેના ઉપર અવઘટિનિક રત્નોની બનેલી છે. એ ઢાંકણની ઉ૫૨ જે પુચ્છની ઢાંકણના છિદ્રોને બંધ કરવા માટે તેના ઉપર જે શ્લષ્ણતર તૃણ વિશેષના સ્થાને બીજા ઢાંકણ છે તે વજ્ર રત્નોના છે. પુંછણીયોની ઉ૫૨ અને કવેલ્લુકોની નીચે જે આચ્છાદન ઢાંકણ છે તે રજતમય ચાંદીના બનેલા છે. પદ્મવર વેદિકા જુદા જુદા સ્થાનોમાં એટલેકે કોઈ એક બાજુ હેમજાલથી લટકતા સુવર્ણ મય માળા સમૂહથી, કોઈ બાજુ ગવાક્ષ-જાલથી લટકતા ક્ષુદ્ર નાની નાની ઘંટિકા જાળથી, લટકતા મુક્તાફળમય મોતીયો વાળા દામ સમૂહોની માળાઓથી, એક એક લટકતા કમળજાલથી, કમળોના સમૂહથી, પીત સુવર્ણમય માળાઓના સમૂહથી, એક એક લટ કતા રત્નજાળથી, રત્નમય માળાઓના સમૂહોથી, સર્વ દિશાઓથી અને વિદિશાઓથી વ્યાપ્ત થઈ વીંટળાયેલી રહે છે. આ બધા દામ સમૂહ રૂપ જાલ તપાવેલા સુવર્ણના સંસક વાળા છે. એટલેકે કંઈક લાલાશવાળા અગ્રભાગ વાળા છે. આ બધી જાલ દામસમૂહ અનેક પ્રકારના મણિયોના અને રત્નોના બનાવેલ હારોથી ૧૮ લડી વાળા હારોથી, અર્ધહાર થી શોભાયમાન છે. આ બધા એક બીજાથી બહુ દૂર નથી. પરંતુ નજીક નજીક છે. પણ પરસ્પર એક બીજા સાથે ચોંટેલા નથી. આ બધા જાલ સમૂહ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણથી આવેલા પવનથી મંદ મંદ રીતે કંપતા રહે છે. અને જ્યારે તે વિશેષ રીતે કંપિત થાય છે. એમ તેમ ફેલાઈ જાય છે. એક બીજાની સાથે ટકરાઈ ટકરાઈને શબ્દાયમાન રણકાર વાળા થઈ જાય છે. આ રીતે તેમાંથી નીકળેલ એ શબ્દ કાન અને મનને ઘણાજ સુખ વિશેષના અનુભવ કરાવનાર નિવડે છે. સઘળી દિશાઓમાં અને વિદિશાઓમાં તે ભરાઈ જાય છે. તેથી જ એ શબ્દના સુંદરપણાથી એ જાલસમૂહ અત્યંત શોભાયમાન થતા રહેછે એ પદ્મવર વેદિકાના જુદા જુદા સ્થાનો પર કયાંક કયાંક અનેક પ્રકારના ઘોડાઓના યુગ્મો ચિત્રેલા છે. સર્વ પ્રકારે રત્નમય છે. ઈત્યાદિ પદ્મવર વેદિકાના જુદા જુદા સ્થાનોમાં હયપંક્તિયો છે. યાવત્ તે બધી પંક્તિયો પ્રતિરૂપ છે. એ પદ્મવર વેર્દિકાના જૂદા જૂદા સ્થાનો પર અનેક પદ્મલતા છે, અનેક નાગલતાઓ છે. યાવત શ્યામલતાઓ છે. આ બધી લતાઓ પણ સર્વાત્મના સર્વ પ્રકારે રત્નમય છે. અને શ્લષ્ણ વિગેરે વિશેષણો વાળી છે. હે ભગવન્ એ પદ્મવર વેદિકાનું એવું નામ આપે શા કારણથી કહેલ છે ? હે ગૌતમ ! પદ્મવર વેદિકાના એ એ સ્થાનોમાં જેમ વેદિકાના ઉપવેશ યોગ્ય છોની ઉપર, વેદિકાના બન્ને પાર્શ્વ ભાગો પર, વેદિકાના શિરોભાગ રૂપ ફ્લુકોની ઉપર વેદિકાના પુરાન્તરોમાં, બે વેદિકાના અપાન્તરાલમાં, બે સ્તમ્મોની મધ્યે, એજ રીતે ફલકના સંબંધને જુદા ન પડવા દેવાના કારણભૂત એવી પાદુકાના સ્થાનાપન્ન સૂચિયોની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy