SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જીવાજીવાભિગમ- ૩/મ./૧૪૫ ઉજ્જવલ, અને નિર્મલ, શંખના જેવી ગાયના દૂધ જેવી, ફીણ જેવી શુભ્ર હોય છે. આ એકોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યો અખંડ દાંતોવાળા હોય છે. તેમનું નાક ગરૂડના નાક જેવું લાંબુ સીધુ અને ઉચું અને ભરાવદાર હોય છે. સૂર્યના કિરણોથી ખીલેલા શ્વેત કમળના જેવી તેઓની બને આંખો હોય છે. વિશાળ કાનોવાળા હોય છે, તેઓની કપોલ પાલી પીન અને માંસલ હોય છે, તેઓનો ભાલ પ્રદેશ તરતના ઉગેલા બાલચંદ્રના જેવો આકારવાળો હોય છે તેઓનું મસ્તક ઘન સઘન પોલાણવાળું છે, તેઓના મસ્તક ઉપર જે વાળો હોય છે, તે ઉખેડવા છતાં પણ સ્વભાવથીજ શાલ્મલી વૃક્ષવિશેષના ફુલના જેવા ગાઢ હોય છે. એકોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યો સ્વસ્તિક વિગેરે લક્ષણોથી મશીતિલક વિગેરે વ્યંજનોથી અને ક્ષાન્તિ વિગેરે સદ્- ગુણોથી યુક્ત હોય છે. તેઓનું રૂપ ઘણું જ સુંદર સ્વરૂપાળું હોય તે બધા પ્રાસાદીય હોય છે. દર્શનીય હોય છે. અભિરૂપ હોય છે અને પ્રતિરૂપ હોય છે. આ મનુષ્યો હંસના સ્વર જેવા સ્વરવાળા હોય છે. ક્રૌચક્ષિના સ્વરની જેમ અનાયાસ નીકળેલા છતાં પણ દીર્ઘ દેશવ્યાપી સ્વરવાળા હોય છે. તેમનું પ્રત્યેક અંગ કાંતિથી ચમકતું રહે છે. તે વજ ઋષભ નારાચ સંહનન વાળા હોય છે. તેઓનું સંસ્થાન સમચતુરસ્ત્ર ચતુષ્કોણ હોય છે. તેમની કાંતિ સ્નિગ્ધ હોય છે. તે આંતક-વ્યાધિ રહિત હોય છે. તેઓના શરીર ઉત્તમ, પ્રશસ્ત, અતિશય શાળી, અને નિરૂપમ હોય છે. તેઓના શરીર જલ્લ શરીરથી ઉત્પન્ન થયેલ મળ, વિગેરે દોષથી રહિત હોય છે. કોઈ પણ પ્રકારનો ઉપલેપ હોતો નથી. વાયુના ગોળાથી રહિત ઉદર ભાગ વાળા હોવાથી અનુકૂળ વાયુ વેગવાળા હોય છે. ગુદાનો ભાગ મલ વગરનો હોવાથી નિર્લેપ ગુદાશયવાળા હોય છે. જેમ કબૂતરની જઠરાગ્નિ કાંકરાને પણ પચાવી શકે છે. તેઓનો અપાન દેશ અથતુ ગુદા ભાગ પરિષોત્સર્ગના લેપ વિનાનો હોય છે. તથા પૃષ્ઠભાગ તથા ઉદર અને પૃષ્ઠની વચ્ચેનો ભાગ તથા જાંઘ આ બધા સુંદર, પરિણત, અને સુંદર સંસ્થાન વાળા હોય છે. તેમના પેટનો ભાગ એટલો પાતળો હોય છે કે તે મૂઠીમાં આવી જાય છે. તેઓનો નિઃશ્વાસ સામાન્ય કમલ, નીલ કમલ, તથા ગન્ધ દ્રવ્યની સમાન સુગન્ધિત હોવાથી તેઓનું મુખ સુરભિગંધવાળું હોય છે.આઠસો ધનુષ જેટલા ઉંચા હોય છે. હે આયુષ્યમનું શ્રમણ તે મનુષ્યોની પાંસળીયોના. હાડકાં ચોસઠ હોય છે. એ મનુષ્યો સ્વભાવથી ભદ્ર પરિણમવાળા હોય છે. સ્વભાવ થી જ વિનયશીલ હોય છે. સ્વભાવથીજ અલ્પ કષાય વાળા, એજ કારણે કોઈ વસ્તુનો સંગ્રહ કરવાવાળા નથી. તેઓ દૂર પરિણામવાળા હોતા નથી. વૃક્ષોના શાખાઓની મધ્યમાં રહે છે એ મનુષ્યો પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્રતા પૂર્વક વિચરણ કરે છે. એ એકોરૂક દ્વિીપના મનુષ્યોને ચતુર્થ ભક્ત અથતુ એક દિવસ છોડીને બીજે દિવસ આહાર કરવાની ઈચ્છા થાય છે. એકોરૂક દ્વીપની મનુષ્ય સ્ત્રિયો યથોક્ત પ્રમાણથી ઉત્પન્ન થયેલા સઘળા અંગોથી વિશિષ્ટ હોવાના કારણે ઘણીજ સુંદર હોય છે. તેઓના નખો ઉન્નત હોય છે. તેમની જાંઘા યુગલ રોમવિનાનું ગોળ સુંદર હોય છે. અને ઉત્કૃષ્ટ લક્ષણો વાળું હોય છે, તથા સુંદર લાગે તેવું હોય છે. તેમના શરીરનો મધ્યભાગ ત્રણ રેખાઓથી વળેલો હોય છે. ગંગાના ભમર-વમળના જેવા પ્રદક્ષિણા વર્તવાળી ત્રિવલીથી યુક્ત તથા મધ્યાહનના સૂર્યના કિરણોથી વિકસિત થયેલા કમળના વનના જેવી ગંભીર અને વિશાળ તેઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy