SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, તિય ઉદેસો-૨ ૬૫ વિશદ્ધ વેશ્યાવાળો અણગાર કે જે સમવહત અને અસમવહત અવસ્થાવાળો છે, તે વિશદ્ધ વેશ્યાવાળા દેવને દેવીને અથવા અનગારને શું જાણે છે? કે દેખે છે?હા એવો તે અણગાર એ દેવ અને દેવીને તથા એવા અનગારને જાણે છે. અને દેખે છે. [૧૩૮-૧૩૯] હે ભગવનું અન્ય તીર્થિકોએ એવું કહ્યું છે, એક જીવ એક સમયમાં બે ક્રિયાઓ કરે છે. એક સમ્યકત્વ ક્રિયા છે. અને બીજી મિથ્યાત્વ ક્રિયા છે. જીવ જે સમયે સમ્યકત્વ ક્રિયા કરે છે, એજ સમયે તે મિથ્યાત્વ ક્રિયાપણ કરે છે. જે સમયે તે મિથ્યાત્વક્રિયા કરે સમ્યકત્વ છે, એજ સમયે તે જીવાત્મા સન્મુત્વ ક્રિયા પણ કરે છે. એજ કારણે એક જીવ એક સમયમાં બે ક્રિયા હોય છે તો શું તેઓનું એ કથન યથાર્થ છે? હે ગૌતમ! એ પ્રમાણેનું તેઓનું કથન યાવતુ પ્રરૂપણા કરવી તે સઘળું મિથ્યા છેઅસત્ય છે. એક જીવ એક સમયમાં એકજ ક્રિયા કરે છે. જેમકે સમ્યકત્વ ક્રિયા અથવા મિથ્યાત્વ ક્રિયા. જો એક જીવ ને એક સમયમાં આ બન્ને ક્રિયાઓનો કર્તા માનવામાં આવે તો મોક્ષનો સર્વથા અભાવ પ્રાપ્ત થાય. કેમકે મિથ્યાત્વની નિવૃત્તિ તો કદી થઈ જ ન શકે. | પ્રતિપત્તિ ૩-તિર્યંચઉદેસો-ર-નીમુનિદીપરના સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૩-મનુષ્ય) [૧૪]હે ભગવન્ મનુષ્યોના કેટલા ભેદો કહ્યા છે? મનુષ્યો બે પ્રકારના છે. સંમૂર્ણિમ અને ગર્ભજ. સંમૂર્છાિમ મનુષ્યોના કોઈ પણ ભેદ હોતાં નથી. મનુષ્ય ક્ષેત્રની અંદર જ ઉત્પન્ન થાય છે. સંબંધમાં પ્રજ્ઞાપના સૂત્રમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે, તે ત્યાંથી જાણી લેવું. તે અંતમુહૂર્તના આયુષ્યમાંજ કાળ કરે છે. [૧૪૧] ગર્ભજમનુષ્યોના ત્રણ ભેદો કર્મભૂમિક, અકર્મભૂમિક, અંતરદ્વીપ, [૧૪]અંતરદ્વીપના મનુષ્યોના ૨૯ ભેદો છે. એકોરૂક આભાષિક વગેરે. એ કોરૂક નામવાળા દ્વીપો છે. મનુષ્યો એ નામવાળા હોતા નથી પરંતુ તે દ્વીપોમાં રહેનારા હોવાને કારણે ત્યાંના મનુષ્યોના નામો તેમ જાણવા. [૧૪૩-૧૪૪] હે ભગવનું દક્ષિણ દિશામાં રહેવાવાળા એકોરૂક મનુષ્યોનો જે એકોરૂક દ્વીપ છે, તે કયા સ્થાન પર કહેવામાં આવેલ છે? હે ગૌતમ! જેબૂદ્વીપ નામના દ્વીપમાં જે મેરૂપર્વત છે, તેની દક્ષિણ દિશામાં ક્ષુદ્રહિમવાનું નામનો વર્ષધર પર્વત છે. તેની ઈશાન દિશાના ચરમાત્તરમાં લવણસમુદ્રમાં ત્રણસો યોજના ગયા પછી મુદ્ર હિમવાનપર્વતની દાઢ ઉપર દક્ષિણદિશામાં રહેવાવાળા એકોરૂક મનુષ્યો નો એકોરૂક નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ લંબાઈ પહોળાઈમાં ત્રણસો યોજનાનો છે. તેની પરિધિ ૯૪૯ યોજનમાં કંઈક વધારે છે. આ દ્વીપની ચારે બાજુ એક પાવર વેદિકા છે. આ પાવર વેદિકાની ચારે દિશાઓ માં તેને ઘેરિને એક વનખંડ છે. આ પદ્મવર વેદિકાની ઉંચાઈ આઠ યોજનની છે. અને તેની પહોંળાઈ પાંચસો ધનુષની છે. આ પદ્રવર વેદિકા એકોરૂક દ્વીપને ચારે બાજુથી ઘેરીને રહેલી છે. આ પદ્મવર વેદિકાનું વર્ણન આ પ્રમાણે છે તેની શયખસેણિય સૂત્રાનુસાર જાણવું આ પદ્વવર વેદિકાની ચારે બાજા, એક વનખંડ આવેલું છે. આ વનખંડ દેશઉન, બે યોજનાના ગોળાકાર પહોળાઈવાળું છે અને તેની પરિધિનો વિસ્તાર વેદિકાની બરોબર છે. આ વનખંડ ઘણું ગાઢ ઉંડુ હોવાના કારણે કાળું દેખાય છે. અને તેનો પ્રકાશ પણ કાળોજ નીકળે છે. સમગ્ર વર્ણન રાયખસેણિય Jalanducation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy