SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ જીવાજીવાભિગમ- ૩/નૈ-૧૯૩ હજાર યોજનાનું છે. ઘનોદધિ પૃથ્વીનો જે નીચેનો ચરમાંત છે, તે એક લાખ બાવન હજાર યોજનની અંતરે છે તનુવાતવલયના નીચેના ચરમાન્ત સુધી અને અવકાશાન્તરની નીચેના ચરમાંત સુધી અસંખ્યાત લાખ યોજનનું અંતરાલ છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી સમજી લેવું આ સંબંધમાં અંતર ફેરફાર એ છે કે જે પૃથ્વીનું જેટલું બાહલ્ય કહેલ છે, તેમાં ઘનોદધિનું બાહલ્ય પોતપોતાની બુદ્ધીથી મેળવી લેવું જોઈએ. [૯] હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી બીજી શર્કરા પ્રભા પૃથ્વીનો આશ્રય કરીને પહોળાઈમાં શું બરોબર છે? અથવા વિશેષાધિક અથવા સંખ્યાતગણી વધારે છે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી બીજી પૃથ્વી કરતાં વિસ્તારમાં પણ બરોબર નથી. પરંતુ તે વિશેષ હીનજ છે. તેથી તે સંખ્યાત ગુણહીન નથી. ત્રીજી વાલુકા પૃભા પૃથ્વી કરતાં બીજી શર્કરાખભા પૃથ્વી બરોબર નથી. પરંતુ વિશેષાધિક છે. બીજી પથ્વીની પહોળાઈ ત્રીજી પૃથ્વી કરતાં સંખ્યાતગણી નથી. એ જ પ્રમાણે ચોથી પૃથ્વી કરતાં ત્રીજી, પાંચમી પૃથ્વી કરતા ચોથી છટ્ઠી પૃથ્વી કરતાં પાંચમી અને સાતમી પૃથ્વી કરતાં છટ્ઠી પૃથ્વી વિશેષાધિક જ છે. તુલ્ય અથવા સંખ્યાત ગુણાધિક નથી. પ્રતિપત્તિ ૩-નૈરયિક ઉદ્દે સો-૧-નીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પ્રતિપત્તિ ૩ નૈરયિક-ઉદેસોઃ ૨). [૯૫હે ભગવનું પૃથ્વીયો કેટલી કહેવામાં આવી છે? હે ગૌતમ! પૃથ્વીયો સાત જ કહેવામાં આવેલ છે. એક લાખ એંસી હજાર યોજનની પહોળાઈવાળી આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના એક હજાર યોજનને છોડીને અને નીચેમાં પણ એક હજાર યોજનને છોડીને એક લાખ અઠોતેર હજાર યોજનમાં રત્નપ્રભા પૃથ્વીના નારકોને યોગ્ય ત્રીસ લાખ નરકવાસ છે, આ નરકવાસો મધ્યમાં ગોળ છે. અને બહારના ભાગમાં ચાર ખુણાના આકાર વાળા છે. યાવતું નીચેના ભાગમાં આ નરકાવાસો -છરા આ જેવા તીક્ષણ આકારવાળા છે. આ પ્રમાણે બાકીની સઘળી પૃથ્વીયોના સંબંધમાં સમજી લેવું અધઃસપ્તમી પૃથ્વીના એક લાખ આઠ હજાર યોજનના બાહલ્યમાંથી સાડા બાવન હજાર ઉપરના ભાગને અને એટલા જ નીચેના ભાગને છોડીને વચલા ત્રણ હજાર યોજનના પોલાણમાં પાંચ મહાનરકાવાસો છે. [૯] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીના નરકો કેવા સંસ્થાનવાળા કહ્યા છે ? પહેલી પૃથ્વીમાં જે નરકો છે, તે બે પ્રકારના કહેવામાં આવેલ છે. આવલિકા પ્રવિષ્ટ આવલિકા બાહ્ય. તેમાં જે આવલિકા પ્રવિષ્ટ નરક છે. તે ત્રણ પ્રકારના વૃત-વ્યસ્ત્ર અને ચતુરસ્ત્ર છે. તેમાં જે આવલિકા પ્રવિષ્ટથી જુદા એટલે કે બાહ્ય નરકાવાસી છે. તે અનેક પ્રકારના આકારોવાળા છે. કેટલાક લોખંડ ના કોષ્ઠના જેવા આકારવાળા છે કેટલાક મદિરા દારૂ બનાવવા માટે જેમાં -લોટ વિગેરે રાંધવામાં આવે છે. તે વાસણના જેવા આકારના હોય છે. કેટલાક કન્દુ જેવા આકાર વાળા હોય છે. કેટલાક લોઢી-તવાના જેવા આકારવાળા કેટલાક કવૈયાના જેવા આકારવાળા હોય છે. કેટલાક ભાત બનાવવાના વાસણના આકાર જેવા આકારવાળા હોય છે, કીર્ણપટકના જેવા આકાર વાળા હોય છે કેટલાક-ઝુપડી જેવા આકાર હોય છે. કેટલાકમૃદંગનંદી મૃદંગનાઆલિંજર સુઘોષ દર્ટર નામના પણવ પટલ ભેરીનામના વાદ્યવિશેષના જેવા આકારવાળા જે પ્રમાણે રત્નપ્રભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy