SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ પન્નવણા - ૩૪-૫૮૮ કહ્યા છે. હે ભગવન્! તે પ્રશસ્ત છે કે અપ્રશસ્ત-છે? હે ગૌતમ! પ્રશસ્ત પણ છે અને અપ્રશસ્ત પણ છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. હે ભગવનું ! નૈરયિકો સમ્યક્વાધિગામી હોય છે, મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે કે સમ્યુગ્મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે ? હે ગૌતમ ! ત્રણે હોય છે. એ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું. પરન્તુ એકેન્દ્રિયો અને વિક- લેન્દ્રિયો સમ્યક્તની પ્રાપ્તિવાળા નથી. સમ્યુગ્મિથ્યાત્વની પ્રાપ્તિ વાળા નથી. પણ મિથ્યાત્વની પ્રાપ્તિવાળા હોય છે. હે ભગવન! દેવો શું દેવી સહિત અને સપરિચાર- દેવીસહિત અને અપરિચાર-દેવીરહિત અને પરિચારસહિત અને દેવીરહિત અને પરિચારરહિત હોય ? હે ગૌતમ ! કેટલાએક દેવો દેવીસહિત અને પરિચારસહિત હોય છે, કેટાલાએક દેવો દેવીરહિત અને પરિચારસહિતા હોય છે અને કેટલાએક દેવો દેવીસહિત અને પરિચાર સહિત હોય છે, પરન્તુ દેવો દેવીસહિત અને પરિચારરસહિત હોતા નથી. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાન કલ્પોમાં દેવો દેવી સહિત અને પરિચાર સહિત હોય છે. સનકુમાર, માહેન્દ્ર બ્રહ્મલોક, લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પમાં દેવો દેવી સહિત અને પરિચાર સહિત હોય છે. રૈવેયક અને અનુત્તરૌપપાતિક દેવો દેવીસહિત અને પરિચાર સહિત હોય છે. પરન્તુ દેવો દેવી સહિત અને પરિચારસહિત હોતા નથી. [૫૮૯] હે ભગવન! કેટલા પ્રકારે પરિચારણા-મેથનસેવા કહી છે? હે ગૌતમ! પાંચ પ્રકારે. કાયપરિચારણા, સ્પર્શપરિચારણા, રૂપપરિચારણા, શબ્દપરિચારણા અને મનપરિચારણા. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષ્ક, સૌધર્મ અને ઇશાન કલ્પમાં દેવો કાયપરિચારક-શરીર વડે મૈથુન સેવન કરનાર, સનકુમાર અને મહેન્દ્ર કલ્પમાં દેવો સ્પર્શપરિચારક-બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં દેવો રૂપપરિચારક-મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પમાં દેવો શબ્દપરિચારક-તથા આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પમાં દેવો મનવડે મૈથુન સેવન કરનારા હોય છે. રૈવેયક અને અનુત્તરીપપાતિક-દેવો અપરિચાર-મૈથુન સેવનરહિત હોય છે. તેમાં જે કાયપરિચારક-છે તેઓને ઈચ્છપ્રધાન મન-સંકલ્પ થાય છે કે અમે અપ્સરા ઓની સાથે કાયપરિચાર-ઈચ્છીએ છીએ.” તે દેવો એવો સંકલ્પ કરે છે એટલે જલદી તે અપ્સરાઓ ઉદાર શૃંગાર યુક્ત મનોજ્ઞ, મનોહર અને મનોરમ ઉત્તર વૈક્રિય રૂપે કરે છે, કરીને તે દેવોની પાસે આવે છે. ત્યાર બાદ તે દેવો તે અપ્સરાઓની સાથે શરીર દ્વારા મૈથુન સેવન કરે છે. [૫૯] જેમકે શીત યુગલો શીત યોનિવાળા પ્રાણીને પામી અતિશય શીતપણે પરિણત થઈને રહે છે, અને ઉષણ પુદ્ગલો ઉષ્ણુયોનિવાળા પ્રાણીને પામી અતિશય ઉષ્ણપણે થઈને રહે છે. એ પ્રમાણે તે દેવો વડે તે અપ્સરાઓની સાથે કાયપરિચાર કરાય છે, ત્યારે તેનું ઈચ્છાપ્રધાન મન જલદી. શાંત થાય છે. પિ૯૧) હે ભગવન્! તે દેવોને શુક્રના વીર્યના પુગલો છે? હા છે. હે ભગવન્! તે પગલો તે અપ્સરાઓને કેવા રૂપે વારંવાર પરિણમે છે ? હે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિયપણે, ચઈન્દ્રિયપણે, ઘ્રાણેન્દ્રિયપણે, રસેન્દ્રિયપણે, સ્પર્શેન્દ્રિયપણે. ઈષ્ટપણે, કાંતપણે, મનોજ્ઞપણે, મનાપ-મનને ગમે એવાપણે, સુભગ-પ્રિયપણે, સૌભાગ્યનો હેતુ રૂપે, યૌવન અને લાવણ્યગુણપણે તે મુદ્દગલો વારંવાર તેઓને પરિણમે છે. [પ૯૨] તેમાં જેઓ સ્પર્શપરિચારક-દેવો છે તેઓના મનમાં ઇચ્છા થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy