SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૩૨ ૩૯૯ અસંયત પણ છે, સંયતાસંયત પણ છે, પણ નોસંયત-નોઅસંયત નથી. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકો નૈરયિકોની જેમ જાણવા. સિદ્ધો સંબધે પ્રશ્ન. હે ગૌતમ ! સિદ્ધો સંયત નથી, અસંયત નથી, સંયતાસંયત નથી, પણ નોસંયત-નોઅસંયત નોસંયતાસંયત છે. જીવો તેમજ મનુષ્યો સંયત, અસંયત અને મિશ્ર-સંયતસંયત હોય છે. તિર્યંચો સંતારહિત છે અને બાકીના જીવો અસંયત છે. પદ-૩૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (પદ-૩૩-અવધિપદ) પિ૭૯] અવધિજ્ઞાનના ભેદ, વિષય, સંસ્થાન, અભ્યન્તરાવધિ, બાહ્યાવધિ, દેશાવધિ, ક્ષય-હાયમાન અવધિ, વૃદ્ધિ-વર્ધમાન અવધિ, પ્રતિપાતિ અને અપ્રતિપાતી એ તેત્રીશમા પદમાં દશ દ્વારો છે. [૫૮૦ હે ભગવન્! કેટલા પ્રકારે અવધિજ્ઞાન કહ્યું છે. હે ગૌતમ ! બે પ્રકારે. ભવપ્રત્યયિક અને ક્ષાયોપથમિક. એને ભવપ્રત્યયિક અવધિ છે. દેવો અને નારકોને, અને બેને ક્ષાયોપથમિક અવધિ છે. મનુષ્યો અને પંચેન્દ્રિય તિર્યંચોને. પિ૮૧] હે ભગવન્! નૈરયિકો કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાન વડે જાણે અને દેખે? હે ગૌતમ ! જઘન્યથી અરધો ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ભગવન્! રત્નપ્રભા પૃથિવીના નૈરયિકો અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ પ્રમાણ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. શર્કરા પ્રભાના નૈરયિકો જઘન્ય ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. વાલુકપ્રભાના નૈરયિકો જઘન્ય અઢી ગાઉ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. પંકપ્રભાપૃથિવીના નૈરયિકો જઘન્ય હે ગાઉ અને ઉતકષ્ટ અઢી ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો જઘન્ય દોઢ ગાઉ અને ઉત્કૃષ્ટ બે ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. તમપ્રભાપૃથિવીના નૈરયિકો જઘન્ય ગાઉ અને ઉત્કૃષ્ટ દોઢ ગાઉ અવધિજ્ઞાન વડે જાણે છે. નીચેની સાતમી નરકમૃથિવી સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અર્ધ ગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ અવધિજ્ઞાનવડે જાણે છે અને દેખે છે. ' હે ભગવન્! અસુરકુમારો અવધિજ્ઞાનવડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય પચીશ યોજન, અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. નાગકુમારો જઘન્ય પચીશ યોજન અને ઉત્કૃષ્ટ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને અવધિજ્ઞાન વડે જાણે છે અને દેખે છે. એ પ્રમાણે યાવતું સ્વનિતકુમારો સુધી જાણવું. હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે અને દેખે ? હે ગૌતમ ! જઘન્ય આંગળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો જાણે છે અને દેખે છે. હે ભગવન્! મનુષ્યો અવધિજ્ઞાન વડે કેટલું ક્ષેત્ર જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અંલોકમાં લોકપ્રમાણમાત્ર અસંખાતા ખંડોને અવધિ વડે જાણે છે અને દેખે છે. બન્નરો નાગકુમારની પેઠે જાણવા. હે ભગવન્! જ્યોતિષિકો કેટલું ક્ષેત્ર અવધિજ્ઞાનવડે જાણે અને દેખે? હે ગૌતમ! જઘન્ય સંખ્યાતા દ્વીપ-સમુદ્રો અને ઉત્કૃષ્ટ પણ સંખ્યાતા દ્વીપ-સમુદ્રોને જાણે અને દેખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy