SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૯ પદ-૨૦ કરે. હે ભગવન્! જે મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે તે કેવલજ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ન ઉત્પન્ન કરે. હે ભગવન્! જે કેવલજ્ઞાન ઉત્પન્ન કરે તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય અને સર્વ દુઃખનો અન્ત કરે ? હે ગૌતમ! સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખનો અન્ન કરે. હે ભગવન્! નરયિક-નૈરયિકમાંથી નીકળી પછીના ભાવમાં વ્યંતરાદિ દેવમાં ઉત્પન્ન થાય? ન થાય. [૫૦૧] હે ભગવન્! અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભાવમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે યાવ સ્વનિતકુમારોમાં કહેવું. હે ભગવન્અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? હા ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અપ્લાય અને વનસ્પતિકાયિક સંબંધે જાણવું. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં તેજ સ્કાય, વાયુકાય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયોમાંઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. બાકીના પંચેન્દ્રિય તિર્યંચાદિ પાંચ દંડકમાં જેમ નૈરયિક કહ્યો તેમ અસુરકુમાર કહેવો. એ પ્રમાણે યાવતુ સ્વનિતકુમારો કહેવા. પિ૦૨]હે ભગવન્! પૃથિવીકાયિક પૃથિકાયિકોથી નીકળી પછીના ભાવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારોમાં યાવતું સ્તનતકુમારોમાં પણ જાણવું. હે ભગવન્! પૃથિકાયિક પ્રથિકાયિકોથી નીકળી પછીના ભાવમાં પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અપ્લાયિકથી માંડી ચઉરિન્દ્રિય સુધીમાં કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકમાં પ્રતિષેધ કરવો. એ પ્રમાણે જેમ પૃથિવીકાયિક કહ્યો તેમ અકાયિક પણ કહેવો. યાવતુ વનસ્પતિ કાયિક પણ કહેવો. હે ભગવન્! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુર કુમારોમાં યાવત્ સ્વનિતકુમારોમાં જાણવું. પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિદ્રયોમાં કોઈ ઉત્પન્ન થાય. હે ભગવનું જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીય ઉપદેશેલા ધર્મને શ્રવણ વડે પ્રાપ્ત કરે છે ગૌતમ એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભવમાં પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને શ્રવણ વડે પ્રાપ્ત કરે-હે ગૌતમ ! કોઈ શ્રવણ કરે અને કોઈ શ્રવણ ન કરે. હે ભગવન્! તે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને જાણે? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી.મનુષ્ય, વ્યન્તર, જ્યોતિર્ષિક અને વૈમાનકિમાં ઉત્પત્તિ સંબંધે પૃચ્છા હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. જેમ તેજસ્કાયિક કહ્યો તેમ વાયુકાયિક પણ નિરંતર કહેવો. [પ૦૩]હે ભગવન્! બેઈન્દ્રિય બેઈન્દ્રિયોથી નીકળી અનન્તર-ભવમાં નૈરયિકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy