SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૭, ઉદેસો-૩ તેજોલેશ્યવાળો અસુકુમાર કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજલેશ્યાવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ જેમ નૈરિયેક સંબંધે કહ્યું તેમ અસુરકુમારો યાવત્ સ્તનિતકુમારો સંબંધે કહેવું. હે ભગવન્ ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવત્ તેજોલેશ્યાવાળો પૃથિવીકા યિક શું કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજોલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ઇત્યાદિ જેમ અસુરકુમારો સંબંધે પ્રશ્ન કર્યો તેમ કરવો. હા ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્યા વાળો પૃથિવીકાયિક કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેજલેશ્યાવાળા પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય. કદાચ કૃષ્ણલેશ્યાવાળો, કદાચ નીલલેશ્યાવાળો અને કદાચ કાપોતલેશ્યા વાળો ઉદ્ધર્તે. કદાચ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળા ઉદ્ધર્તે. તેોલેશ્યાવાળો ઉત્પન્ન થાય પણ તેોલેશ્યાવાળો ન ઉદ્ધર્તે. એ પ્રમાણે અપ્લાયિકો અને વનસ્પતિકા યિકો પણ કહેવા. હે ભગવન્ ! અવશ્ય કૃષ્નલેશ્યાવાળો, નીલલેશ્યાવાળો અને કાપોત લેશ્યાવાળો તેજસ્કાયિક કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય ? અને કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો ઉદ્ઘતેં ? જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્ઘતેં હે ગૌતમ ! અવશ્ય કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળો તેજસ્કાયિક કૃષ્ણ, નીલ અને કાપોતલેશ્યાવાળા તેજસ્કાયિકોમાં ઉત્પન્ન થાય, કદાચિત્ કૃષ્ણલેશ્યા વાળો, કદાચિત્ નીલલેશ્યાવાળો અને કદાચિત્ કાપોતલેશ્યાવાળો ઉદ્ધર્તો. કદાચિત્ જે લેશ્યાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્ધર્તે. એ પ્રમાણે વાયુકાયિક, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો કહેવા. હે ભગવન્ ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવદ્ શુક્લ લેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ શું કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! અવશ્ય કૃષ્ણલેશ્યાવાળો યાવત્ શુક્લલેશ્યાવાળો પંચેન્દ્રિય તિર્યંચ કૃષ્ણલશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય. કદાચિત્ કૃષ્ણલેશ્યાવાળો યાવતું કદાચિત શુક્લલેશ્યાવાળો ઉત્ક્રર્તો. કદાચિત્ જે લશ્કાવાળો ઉત્પન્ન થાય તે લેશ્યાવાળો ઉદ્ધર્તે. એ પ્રમાણે મનુષ્ય સંબંધે પણ જાણવું. વ્યન્તરો અસુરકુમારોની પેઠે જાણવા. જ્યોતિષિક અને વૈમાર્નિકો પણ એમ જ સમજવા. પરન્તુ જેઓને જે લેશ્યા હોય તે કહેવી, અને બન્ને પણ ‘ચ્યવે છે’ એવો પાઠ કહેવો. ૩૩૩ [૪૦] હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળો નૈયિક કૃષ્ણલેશ્યાવાળા નૈયિકની અપેક્ષાએ અવધિજ્ઞાન વડે ચારે દિશામાં અને ચારે વિદિશામાં જોતો કેટલું ક્ષેત્ર જાણે અને કેટલું ક્ષેત્રદેખે ? હે ગૌતમ ! તે બહુ ક્ષેત્ર જાણતો નથી, બહુ ક્ષેત્ર જોતો નથી, દૂર રહેલું ક્ષેત્ર જાણતો નથી અને દૂર રહેલું ક્ષેત્ર દેખતો નથી. થોડું ક્ષેત્ર જાણે છે અને થોડું ક્ષેત્ર દેખે છે. હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છો કે હે ગૌતમ ! જેમ કોઇ પુરુષ બરોબર સરખી અને રમણીય ભૂમિભાગ ઉપર ઊભો રહીને ચારે તરફ જુએ તેથી તે પુરુષ પૃથિવીતલમાં રહેલા પુરુષની અપેક્ષાએ ચોતરફ જોતો બહુ ક્ષેત્રને યાવત્ દેખતો નથી, યાવતે થોડાં ક્ષેત્રને દેખે છે. હે ભગવન્ ! નીલલેશ્યાવાળો નૈયિક કૃષ્ણલેશ્યાવાળા નૈયિકની અપે તે ક્ષાએ અવધિજ્ઞાન વડે ચારે તરફ જોતો કેટલા ક્ષેત્રને જાણે અને દેખે ? હે ગૌતમ ! અતિ ઘણા ક્ષેત્રને જાણે અને અત્યંત ઘણા ક્ષેત્રને દેખે. અતિ દૂર ક્ષેત્રને જાણે અને અતિ દૂર ક્ષેત્રને દેખે. અત્યન્ત સ્પષ્ટ ક્ષેત્રને જાણે અને અત્યન્ત સ્પષ્ટ ક્ષેત્રને દેખે, અત્યન્ત વિશુદ્ધ ક્ષેત્રને જાણે અને અત્યન્ત વિશુદ્ધ ક્ષેત્રને દેખે. હે ભગવન ! એમ શાથી કહો છો ? હે For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy