SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ પદ્મવા - ૧૫/૨/૪૩૭ આઠ, બાર, સંખ્યાતી અસંખ્યાતી કે અનન્ત હોય. એ પ્રમાણે દ્રવ્યેન્દ્રિયોમાં જે ચાર ગમ પાઠ કહ્યા છે તે આ ચારે પાઠ અહીં જાણવા. પરંતુ ત્રીજા ગમને વિષે જેને જેટલી ઇન્દ્રિયો હોય તેને તેટલી ઇન્દ્રિયો ભવિષ્યમાં જાણવી. ચોથા ગમન વિષે જેમ દ્રવ્યેન્દ્રિયો કહી છે તેમ કહેવી. યાવત્ સર્વાર્થસિદ્ધદેવપણામાં કેટલી ભાવેન્દ્રિયો અતીતકાળે હોય ? ન હોય. વર્તમાનકાળે કેટલી હોય ? સંખ્યાતી હોય. ભવિષ્યમાં થવાની કેટલી ? ન હોય. પદ-૧૫-ઉદ્દેસા– ૨ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ પદ-૧૫-ગુર્જરછાયા પૂર્ણ પદ- ૧૬ -પ્રયોગ [૪૩૮] હે ભગવન્ ! કેટલા પ્રકારનો પ્રયોગ કહ્યો છે ? હે ગૌતમ ! પંદર પ્રકારનો પ્રયોગ કહ્યોછે. સત્યમનઃપ્રયોગ, અસત્યમનઃપ્રયોગ, સત્યમૃષામનઃ પ્રયોગ, અસત્યામૃષામનઃપ્રયોગ, વચનપ્રયોગ ચાર પ્રકારનો છે, ઔદારિકશરીરકાયપ્રયોગ, ઔદારિકમિશ્રશીકાયપ્રયોગ, વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ, આહા કશરી૨કાયપ્રયોગ, તૈજસકાર્યણશરીર કાય પ્રયોગ. [૪૩૯] હે ભગવન્ ! જીવોને કેટલા પ્રકારના પ્રયોગ હોય ?હે ગૌતમ!પંદર પ્રકારના. સત્યમનપ્રયોગ, યાવત્- કાર્મણશરી૨કાય પ્રયોગ. હે ભગવન્ ! નૈરિયકોને કેટલા પ્રકારના પ્રયોગ હોય છે ? હે ગૌતમ ! અગિયાર પ્રકારના સત્ય મનઃપ્રયોગ, યાવત્ અસત્યામૃષા વચન પ્રયોગ, વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશ૨ી૨કાય પ્રયોગ અને કાર્યણશરીરપ્રયોગ. એ પ્રમાણે અસુકુમારથી માંડી સ્તનિતકુમારો સુધી જાણવું. પૃથિવીકાયિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓને ત્રણ પ્રકારના પ્રયોગ હોય છે. ઔદા કિશરીરકાયપ્રયોગ,ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, અને કાર્મણશી૨કાય પ્રયોગ. એ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી જાણવું. વાયુકાયિકોને પાંચ પ્રકારનો પ્રયોગ હોય છે-ઔદાકિશ૨ી૨કાયપ્રયોગ, ઔદાકિમિશ્રશરોકાયપ્રયોગ, વૈક્રિય બે પ્રકાર- નો પ્રયોગ અને કાર્યણશ૨ી૨કાયપ્રયોગ. બેઇન્દ્રિયો સંબન્ધે પૃચ્છા. તેઓને ચાર પ્રકાર નો પ્રયોગ હોયછે. અસત્યામૃષાવચનપ્રયોગ, ઔદાકિશ૨ી૨ કાયપ્રયોગ, ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગ અને કાર્મણશરી૨કાયપ્રયોગ. એ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! તેને તેર પ્રકારનો પ્રયોગ કહ્યો છે. સત્ય મનઃપ્રયોગ, મૃષામનઃપ્રયોગ, સત્યમૃષા મનઃપ્રયોગ, અસત્યામૃષામનઃ પ્રયોગ, એ પ્રમાણે વચનપ્રયોગ પણ સમજવો, ઔદા રિકશ૨ી૨કાયપ્રયોગ, ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ, વૈક્રિયશરીરકાયપ્રયોગ, વૈક્રિયમિશ્રશરીરકાયપ્રયોગ અને કાર્મણશરીરકાયપ્રયોગ. મનુષ્યો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! તેઓને પંદર પ્રકારનો પ્રયોગ હોય છે. વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોને નૈરિયકોની પેઠે જાણવું. [૪૪] હે ભગવન્ ! શું જીવો સત્યમનપ્રયોગવાળા છે કે યાવત્- કાર્મણશરીર કાયપ્રયોગવાળા હોય છે ? હે ગૌતમ ! સર્વે જીવો સત્યમન પ્રયોગવાળા, યાવત્ વૈક્રિય મિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક આહાર કશરી૨કાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક આહારકમિશ્રશરીરકાયલાક કાર્મણશરી૨કાયપ્રયોગવાળા હોય. એ પ્રમાણે અસુરકુમા૨ યાવત્ સ્તનિત કુમારોને For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy