SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૧૩ ૩૦૧ કહેવું. પૃથિવીકાયિકો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામ વડે એકેન્દ્રિયો હોય છે. બાકી બધું નૈરયિકોની પેઠે કહેવું. પરન્તુ વેશ્યાપરિણામ વડે તેજો. લેશ્યાવાળા પણ હોય છે. યોગપરિણામ વડે કાયયોગવાળા હોય છે. તેઓમાં જ્ઞાન પરિણામ નથી. અજ્ઞાનપરિણામવડે મતિ અજ્ઞાની અને શ્રતઅજ્ઞાની અને દર્શન પરિણામ વડે મિથ્યાદ્રષ્ટિ હોય છે. બાકી બધું તેમજ જાણવું. અપ્લાયિકો અને વનસ્પતિ કાયિકો એમજ જાણવા. તેજસ્કાયિકો અને વાયુકાયિકો સંબંધે એમજ જાણવું, પરન્તુ તેઓ લેયા પરિણામ વડે નૈરયિકોની જેમ જાણવા. બેઇન્દ્રિયો ગતિપરિણામવડે તિર્યંચગતિવાળા અને ઇન્દ્રિયપરિણામવડે બે ઇન્દ્રિયવાળા હોય છે. બાકી બધું નરયિકોની પેઠે કહેવું. પરન્તુ યોગપરિણામ વડે વચન યોગવાળા અને કાયયોગવાળા હોય છે. જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે મતિ અજ્ઞાની અને શ્રતઅજ્ઞાની પણ હોય છે, પરન્તુ વિર્ભાગજ્ઞાની હોતા નથી. દર્શન પરિણામ વડે સમ્યવૃષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ પણ હોય છે, પરન્તુ સમ્પમ્પિય્યાદ્રષ્ટિ હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે યાવતું ચઉરિન્દ્રિયો સુધી કહેવું. પરન્તુ ઇન્દ્રિયની સંખ્યા અધિક કહેવી. પંચેન્દ્રિયતિર્યંચો ગતિપરિણામ વડે તિર્યંચગતિવાળા હોય છે. બાકી બધું નૈરયિકોની જેમ કહેવું. લેશ્યાપરિણામ વડે યાવતુ શુક્લલેશ્યાવાળા પણ હોય છે. ચારિત્રપરિણામ વડે અવિરતિ કે દેશવિરતિચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી હોય છે. મનુષ્યો ગતિપરિણામ વડે મનુષ્યગતિવાળા, ઈન્દ્રિયપરિણામ વડે પંચેન્દ્રિય અને અનિનિદ્રય પણ હોય છે. કષાય પરિણામ વડે ક્રોધકષાયી, યાવત્ અકષાયી હોય છે. લેશ્યાપરિણામ વડે કૃષ્ણલેશ્યા વાળા યાવતુ લેશ્યરહિત હોય છે. યોગપરિણામ વડે મનોયોગી, યાવત્ અયોગી હોય છે. ઉપયોગપરિણામ વડે નૈરયિ કોની જેમ જાણવા. જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, યાવતુ કેવલજ્ઞાની પણ હોય છે. અજ્ઞાનપરિણામ વડે ત્રણે અજ્ઞાનો અને દર્શનપરિણામ વડે ત્રણે દર્શનો હોય છે. ચારિત્રપરિણામ વડે સર્વવિરતિચારિત્રવાળા, ચારિત્રરહિત અને દેશવિરતિ, ચારિત્રવાળા હોય છે. વેદપરિણામ વડે સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને વેદરહિત પણ હોય છે. વ્યન્તરો ગતિપરિણામ વડે દેવગતિવાળા-ઇત્યાદિ અસુરકુમારોની પેઠે કહેવું, જ્યોતિષિકો પણ એમજ જાણવા, પરન્તુ તેઓ માત્ર તેજલેશ્યાવાળા હોય છે. વૈમાનિકો પણ એમજ જાણવા, પરન્તુ વેશ્યાપરિણામ વડે તેજલેશ્યાવાળા, પાલેશ્યા વાળા અને શુક્લલેશ્યા વાળા હોય છે. એમ જીવપરિણામ કહ્યો. [૪૦૮] હે ભગવન્! અજીવપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે ? દસ પ્રકારે બંધન પરિણામ, ગતિપરિણામ, સંસ્થાનપરિણામ, ભેદ પરિણામ, વર્ણપરિણામ, ગન્ધપરિ ણામ, રસપરિણામ, સ્પર્શપરિણામ, અગુરુલઘુ પરિણામ, અને શબ્દપરિણામ. ૪િ૦૯-૪૧૧] હે ભગવન્! બંધનપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે? બે પ્રકાર નો. સ્નિગ્ધબંધનપરિણામ અને રક્ષબંધનપરિણામ. “સ્કન્ધોનો સમાન સ્નિગ્ધપ ણામાં કે સમાન રક્ષપણામાં પરસ્પર બંધ થતો નથી. પરન્તુ વિષમ સ્નિગ્ધ પણા અને વિષમ રક્ષપણામાં બંધ થાય છે. નિષ્પનો દ્વિગુણાદિ અધિક નિષ્પની સાથે અને રુક્ષનો દ્વિગુણાદિ અધિક રુક્ષની સાથે બંધ થાય છે. તથા સ્નિગ્ધનો રુક્ષની સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy