SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ પદ્મવણા - ૧૨/-૪૦૩ ભગવન્ ! અસુરકુમારોને કેટલાં વૈક્રિય શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારના.-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીરો છે તે અસંખ્યાત છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ રૂપ અસંખ્યાતી શ્રેણિઓ છે. તે શ્રેણિઓની વિષ્ફભસૂચી અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ જાણવી, તેમાં જે મુક્ત શરીરો છે તે ઔદારિકના મુક્ત શરીરો કહ્યાં છે તેમ કહેવાં. આહા૨ક શરીરો જેમ એઓને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ બે પ્રકારનાં કહેવાં. બન્ને પ્રકારના પણ તૈજસ અને કાર્યણ શરીરો જેમ એઓને વૈક્રિય શરીરો કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે યાવત્ સ્તનિતકુમારો સુધી જાણવું. [૪૪] હે ભગવન્ ! પૃથિવીકાયિકોને કેટલાં ઔદારિક શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારના.-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધઔદારિકશીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને કાલથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોકપ્રમાણ છે. તે ભવ્ય કરતાં અનન્તગુણા અને સિદ્ધોના અનન્તમા ભાગે છે. હે ભગવન્ ! પૃથિવીકાયિકોને કેટલા વૈક્રિય શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારનાં. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બ શરીરો છે તે તેઓને નથી. તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ એઓને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે આહારક શરીરો પણ કહેવાં. તેજસ અને કાર્મણ શરીરો એઓને જેમ ઔદારિક શરીર કહ્યાં છે તેમ કહેવાં. એ પ્રમાણે અપ્લાયિકો અને તેજસ્કાયિકો સંબંધે પણ કહેવું. હે ભગવન્ ! વાયુકાયિકોને કેટલાં ઔદારિક શરીરો કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારનાં.-બદ્ધ અને મુક્ત. તે બન્ને પ્રકારના શરીરો જેમ પૃથિવીકાયિકોને ઔદારિક શરીરો કહ્યાં છે તેમ કહેવાં. વૈક્રિયશરીર સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! બે પ્રકારના. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે. અને સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ એમ અપહરાયેલાં નથી. મુક્ત શરીરો પૃથિવીકાયિકોની જેમ જાણવા, આહારક, તૈજસ અને કાર્પણ શરીરો પૃથિવીકાયિકની જેમ કહેવાં. વનસ્પતિ કાયિકો પૃથિવીકાયિકોની પેઠે જાણવા, પરન્તુ તૈજસ અને કાર્મણ શરીરો સામાન્ય તેજસ અને કાર્યણની પેઠે જાણવાં. હે ભગવન્ ! બેઈદ્રિયોને કેટલા પ્રકારના ઔદારિક શરીરો કહ્યા છે ? હે ગૌતમ ! બે પ્રકારના. -બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યા તમા ભાગ પ્રમાણ અંસખ્યાતી શ્રેણિઓ જાણવી. તે શ્રેણિઓની વિષ્ફભસૂચી અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા શ્રેણિના વર્ગમૂલ પ્રમાણ જાણવી. બેઇન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોથી ક્ષેત્રને આશ્રયી અંગુલપ્રમાણ પ્રતરખંડ વડે અને કાલથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડ વડે અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળે સમગ્ર પ્રતર અપહરાય છે. તેમાં જે મુક્ત શરીરો છે તે -સામાન્ય ઔદારિક મુક્ત શરીરોની પેઠે જાણવાં. વૈક્રિય અને આહારક બદ્ધ શરીરો નથી, અને મુક્ત શરીરો સામાન્ય ઔદારિક મુક્ત શરીરની પેઠે જાણવાં. તેજસ અને કાર્પણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy