SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ સત્ય ૭ વ્યવહા૨સત્ય, ૮ ભાવસત્ય, ૯ યોગસત્ય, ૧૦. ઉપમાસત્ય. [૩૮૪-૩૮૫]પર્યાપ્તા મૃષા ભાષા કેટલા પ્રકારની છે ? દસ પ્રકારની. ક્રોધનિશ્ચિત, માનનિશ્રિત, માયાનિશ્રિત, લોભનિશ્રિત, પ્રેમનિશ્રિત, દ્વેષનિશ્રિત, હાસ્ય નિશ્રિત, ભયનિશ્રિત, આખ્યાયિકાનિશ્રિત, ઉપઘાતનિશ્રિત, પન્નવણા - ૧૧/-/૩૮૩ જીવા [૩૮૬-૩૮૮] હે ભગવન્ ! અપર્યાપ્તા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! બે પ્રકારની છે. તે આ પ્રમાણે-સત્યમૃષા અને અસત્યામૃષા. હે ભગવન્ ! અપર્યાપ્તા સત્ય મૃષા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! દસ પ્રકારની છે. તે આ પ્રમાણે ઉત્પન્ન મિશ્રિતા,વિગતમિશ્રિતા,ઉત્પન્નવિગતમિશ્રિતા,જીવમિશ્રિતા,અજીવમિશ્રિતા, જીવમિશ્રિતા, અનંતમિશ્રિતા, પ્રત્યેકમિશ્રિતા, અહ્વામિશ્રિતા, અદ્ધાદ્વા મિશ્રિતા. હે ભગવન્ ! અપર્યાપ્તા અસત્યામૃષા ભાષા કેટલા પ્રકારની છે ? હે ગૌતમ ! બાર પ્રકાર ની. આમન્ત્રણી, આજ્ઞાપની, યાચની, પૃચ્છની, પ્રજ્ઞાપની, પ્રત્યાખ્યાની, ઇચ્છાલોમા, અનભિગૃહીતા, અભિગૃહીતા, સંશયકરણી, વ્યાકૃતા અને અવ્યાકૃતા ભાષા. [૩૮૯] હે ભગવન્ ! જીવો શું ભાષક છે કે અભાષક છે ? હે ગૌતમ ! બંને હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છો. હે ગૌતમ ! જીવો બે પ્રકારના છે. -સંસારી અને અસંસારી. તેમાં જે અસંસારી છે તે સિદ્ધો છે અને સિદ્ધો અભા ષક હોય છે. અને તેમાં જે સંસારી જીવો છે તે બે પ્રકારના છે. શૈલેશીને પ્રાપ્ત થયેલા અને શૈલેશીને નહીં પ્રાપ્ત થયેલા. તેમાં જે શૈલેશીને પ્રાપ્ત થએલા છે, તે અભાષક છે. શૈલેશીને પ્રાપ્ત નહીં થયેલા જીવો બે પ્રકા૨ના છે,એકઇન્દ્રિય વાળા અને અનેક ઇન્દ્રિયવાળા. તેમાં જે એકેન્દ્રિય છે તે અભાષક છે. અનેક ઇન્દ્રિયવાળા જીવો બે પ્રકારના છે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે અભાષક હોય છે અને જે પર્યાપ્તા છે તે ભાષક હોય છે. હે ભગવન્ ! નૈરિયકો ભાષક હોય છે કે અભાષક હોય છે ? હે ગૌતમ ! નૈરિયકો ભાષક પણ હોય છે અને અભાષક પણ હોય છે. હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! નૈયિકો બે પ્રકારનાહોય છે-પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્તા છે તે અભાષક છે અને જે પર્યાપ્તા છે તે ભાષક છે. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય બધા જીવોને વિશે કહેવું. [૩૦] હે ભગવન્ ! ભાષાના કેટલા પ્રકારો કહ્યા છે ? હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકારો. એક સત્યભાષાનોપ્રકાર ૧, મૃષા ૨, સત્યમૃષા૩, અને ચોથો અસત્યામૃષા. હે ભગવન્ ! જીવો શું સત્યભાષા બોલે છે, મૃષાભાષા બોલે છે, સત્યમૃષા ભાષા બોલે છે કે અસત્યમૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ !ચારે ભાષા બોલે છે હે ભગવન્ ! નૈરિયકો શું સત્ય ભાષા બોલે છે કે યાવત્ અસત્યામૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ ! નૈયિકો ચારે ભાષા બોલે છે એ પ્રમાણે અસુરકુમારો યાવત્ સ્તનિતકુમારો જાણવા. બેઈન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો સત્યભાષા, મૃષાભાષા અને સત્યમૃષા બોલતા નથી, પણ અસત્યામૃષા ભાષા બોલે છે. હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચો શું સત્ય ભાષા બોલે છે કે યાવત્ અસત્યામૃષા ભાષા બોલે છે ? હે ગૌતમ ! ફકત એક અસત્યામૃષા ભાષા બોલે છે. પરન્તુ શિક્ષાપૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિસિવાય બીજે જાણવું. શિક્ષા પૂર્વક કે ઉત્તરગુણની લબ્ધિને આશ્રયી ચારે ભાષા પણ બોલે છે. મનુષ્યો યાવત્ વૈમાનિકો જેમ જીવો કહ્યા તેમ જાણવા. [૩૯૧] હે ભગવન્ ! જીવ જે દ્રવ્યો ભાષાપણે ગ્રહણ કરે છે, તે શું સ્થિર રહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy