SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ પનવણા- દો-૩૩૪ ભૂમિના કે અંતરદ્વારના ગર્ભજ મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. જો કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યાતા વરસના આયુષવાળા કે અસં ખ્યાતા વરસના આયુષવાળા મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષવળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન ન થાય. એ પ્રમાણે જેમ સામાન્ય નૈરયિકોનો ઉપપાત કહ્યો તેમ રત્નપ્રભાપૃથિવીના નૈરયિકોનો પણ ઉપપાત કહેવો. શર્કરપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકોનો ઉપપાત કહ્યો તેમ ઉપપાત કહેવો. પરંતુ સંમૂર્ણિમાનો નિષેધ કરવો. હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! જેમ શર્કરા પ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમ કહેવા. પરંતુ ભુજપરિસપોનો પ્રતિષેધ કરવો પંકપ્રભાકૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! વાલુકાપ્રભા પૃથિવીના નૈરયિકો પેઠે જાણવા. પરંતુ ખેચરોથી આવી ઉત્પન્ન થતા નથી. ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! પંપ્રભાપૃથિવીના નૈરયિકો સંબંધે કહ્યું તેમ કહેવું, પરંતુ ચતુષ્પદોનો પ્રતિષેધ કરવો, હે ભગવન્! તમાપૃથિવીના નૈરયિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! જેમ ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો કહ્યા તેમાં કહેવા. પરંતુ સ્થલચરોથી આવી ઉત્પન્ન થતા નથી. “જે પંચેન્દ્રિયતિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું જલચર પંચેન્દ્રિયોથી, સ્થલચર પંચેન્દ્રિયોથી કે ખેચર પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જલચર અને ખેચર પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થતા નથી. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અત્તર દ્વીપના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય, પણ અકર્મભૂમિના કે અન્તરદ્વીપના મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય. ઈત્યાદિ પૂર્વવત્ યાવતું જો પર્યાપ્તા સંખ્યાતા વરસના આયુષવાળા કર્મભૂમિના મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકોથી આવીઉત્પન્ન થાય? હે ગૌતમ! સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકોથી પણ આવી ઉત્પન્ન થાય. હે ભગવન્! અધઃ સપ્તમી નરકમૃથિવીના નૈરયિકોમાં ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એમજ જાણવું. પરંતુ સ્ત્રીનો પ્રતિષેધ કરવો. એટલે સ્ત્રીથી આવી ઉત્પન્ન થતી નથી. ૩૩પ-૩૩અસંજ્ઞી પ્રથમ નરક પર્વત, સરીસૃપો-ભુજપરિસર્પ બીજી સુધી. પક્ષીઓ ત્રીજી નરક સુધી, સિંહો ચોથી નરક સુધી, ઉરઃપરિસર્પો પાંચમી નરક સુધી, સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી અને મત્સ્યો તથા મનુષ્યો સાતમી નરક સુધી જાય છે. આ નરકમૃથિવીઓનો ઉત્કૃષ્ટ ઉપપાત જાણવો.” [૩૩૭] હે ભગવન્! અસુરકુમારો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ! તિર્યો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે નરયિકોનો ઉપપાત ની જેમ અસુરકુમારોનો પણ ઉપપાત કહેવો. પરંતુ અસંખ્યાત વરસના આયુષ વાળા અકર્મ ભૂમિના કે અન્તરદ્વીપના મનુષ્યો અને તિર્યચોથી પણ આવી ઉત્પન્ન થાય છે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy