SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૫ ૨૬૭ વર્ણવાળા સંબધે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. એ પ્રમાણે જેમ કાળાવણે પાયિોની વક્તવ્યતા કહી તેમ બાકીના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની વક્તવ્યતા કહેવી, યાવત્ - મધ્યમરુક્ષ સ્વસ્થાનને આશ્રયી છસ્થાનપતિત હોય છે. એમ અજીવપર્યયો કહ્યા. પદ-૫ની દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (પદ વ્યુત્કાતિ) [૩૨]બારમુહૂર્ત અને ચોવીશમુહૂર્તનો ઉપપાત અને ઉદ્વર્તના-મરણને આશ્રયી વિરહકાળ, -સાન્તર ઉત્પન્ન થાય કે નિરંતર ઉત્પન્ન થાય ? –એકસમયમાં કેટલા ઉપજે અને મરણ પામે, ક્યાંથી આવીને ઉપજે? ઉદ્વર્તના -પામીને ક્યાં ઉત્પન્ન થાય ? પરભ વિકાયુષ ક્યારે બંધાય? અને આયુષના બંધ સંબંધે આઠ આકર્ષોએ આ છઠ્ઠા પદમાં કહેવાના છે. [૩૨૭] હે ભગવન્! નરકગતિ કેટલા કાળ સુધી નારક જીવોની ઉત્પત્તિ રહિત કહેલી છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી જીવની ઉત્પત્તિ રહિત કહેલી છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત છે ? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત છે. દેવગતિ કેટલા કાળ સુધી જીવોની ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત. હે ભગવન્! સિદ્ધિગતિ કેટલા કાળ સુધી જીવોની સિદ્ધિ વડે રહિત હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી છ માસ હોય છે.હે ભગવન્!નરકગતિ કેટલા કાળસુધી ઉદ્વર્તન-મરણ વડે રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત હે ભગવન્! તિર્યંચગતિ કેટલા કાળ સુધી મરણ વડે રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી બાર મુહૂર્ત. હે ભગવન્! મનુષ્યગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તના રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. હે ભગવન્! દેવગતિ કેટલા કાળ સુધી ઉદ્વર્તના- રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત. [૩૨૮] હે ભગવનું ! રત્નપ્રભાપૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી ચોવીશ મુહૂર્ત હે ભગવન્! શર્કરામભાપૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કર્ષથી સાત રાત્રિદિવસ. હે ભગવન્! વાલુકાપ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિરહિત હોય છે ? હે ગોતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અર્ધ માસ. હે ભગવન્! પંકપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક માસ. હે ભગવન્! ધૂમપ્રભા પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કર્ષથી બે માસ. હે ભગવન્! તમ પ્રભા પૃથિવીના નરયિકો કેટલા કાળ સુધી ઉત્પત્તિ રહિત હોય છે? હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર માસ. હે ભગવન્! અધ સપ્તમ પૃથિવીના નૈરયિકો કેટલા કાળ સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy