SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૧૦, સવ્વજીવ-૨ ૧૭૫ અપર્યવસિત અને અનાદિ સપર્યવસિત આ બે માં જે અનાદિ અપર્યવસિત સંસારા પરિત છે તે કોઈ પણ કાળે સિદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. પરંતુ જે બીજા વિકલ્પવાળા સંસારી પરિત્ત છે, તે ભવ્ય છે, અને સિદ્ધિને પ્રાપ્ત કરવાવાળા હોય છે. કાય પરિત્તનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. સંસાર પરિતનું અંતર હોતું નથી.નો પરિત અને નો અપરિતને પણ અંતર હોતું નથી. સૌથી ઓછા પરિત્ત છે. તેના કરતાં નો પરિત્ત અને નો અપરિત્ત અનંતગણા વધારે છે. અથવા બધા જીવો આ પ્રમાણે પણ ત્રણ પ્રકારના છે. જેમકે પર્યાપ્તક, અપ પ્તિક, અને નોપર્યાપ્તક નો અપર્યાપ્તક, પર્યાપ્ત જીવ પર્યાપ્તક પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને ઉત્કૃષ્ટથી કઈક વધારે સાગરોપમશત પૃથકત્વ પર્યન્ત રહે છે. એક અંતર્મુહૂર્ત સુધી ઉત્પન્ન થઈને ફરીથી પર્યાપ્તકોમાં ઉત્પન્ન થયેલા જીવોની અપર્યાપ્તક, અપર્યાપ્તકપણાથી ઓછા માં ઓછા એકઅંતર્મુહૂર્ત સુધી અને વધારેમાં વધારે પણ એક જ અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. જે નો પર્યાપ્તક અનેનોઅપર્યાપ્તક સિદ્ધ જીવ છે તેઓનો તે રૂપે રહેવાનો કાળ સાદિ અપર્યવસિત છે પર્યાપ્તકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક એક અંતર્મુહૂર્તનું જ છે. અપર્યાપ્તકોનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમશત પૃથનું છે. જે નો પર્યાપ્તક નો અપર્યાપ્તક જીવ છે તેઓનું અંતર હોતું નથી. સૌથી ઓછા નો પર્યાપ્તક નો અપ પ્તિક જીવો છે. તેના કરતાં અપપ્તિકો અનંતગણા વધારે છે, તેના કરતાં પર્યાપ્તક સંખ્યાતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના હોય છે. સૂક્ષ્મ, બાદર અને નોસૂક્ષ્મનોબાદ૨, સૂક્ષ્મ જીવ સૂક્ષ્મપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત અને વધારેમાં વધારે પૃથ્વીકાળ પ્રમાણે અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. બાદર જીવ બાદરપણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પર્યન્ત રહે છે. જે નો સૂક્ષ્મનોબાદર જીવ છે તેમનો એ રૂપે રહેવાનો કાળ સાદિ અપર્યવસિત છે. એવા એ જીવો સિદ્ધજ હોય છે. સૂક્ષ્મનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળનું અંતર હોય છે. અને બાદરનું અંતર પણ એટલું જ હોય છે. નોસૂક્ષ્મનોબાદર રૂપ જે સિદ્ધ જીવ છે. તેમનું અતર હોતું નથી. સૌથી ઓછા નો સૂક્ષ્મ નો બાદર જીવ છે. તેના કરતાં બાદર જીવો અનંતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ જીવ અસંખ્યાતગણા વધારે છે. અથવા આ રીતે પણ સઘળા જીવો ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. જેમકેસંશીજીવ અસંશી અને નોસંશીઅસંજ્ઞી જીવ. સંશી જીવ સંશી જીવ રૂપે ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત સુધી રહે છે અને વધારેમાં વધારે સાગરોપમશત પૃથક્ પર્યન્ત રહે છે. અસંશી જીવ અસંશીપણાથી ઓછામાંઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણ રહે છે. જેઓ નો સંજ્ઞીનોઅસંશી છે એવી સિદ્ધ જીવ સાદિ અપસિત કાળવાળા હોય છે. સંશી જીવનું અંતર જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનું હોય છે, અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ કાળ પ્રમાણનું હોય છે. અસંશી જીવનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટથી કંઈક વધારે સાગરોપમશત પૃથક્ત્વનું હોય છે. જે નોસંશીનોઅસંશી રૂપ સિદ્ધ જીવો છે; તેઓનું અંતરહોતું નથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy