SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૧૦, સવજીવ-૧ ૧૭૩ ઉત્કૃષ્ટથી એક એક અંતર્મુહૂર્તનું છે. અથવા સર્વ જીવો બે પ્રકારના કહેવામાં આવેલા છે. તે આ પ્રમાણે છે. એક આહારક જીવ અને બીજા અનાહારક જીવ આહારક જીવ બે પ્રકારના કહેવામાં આવેલ છે. એક છદ્મસ્થ આહારક અને બીજા કેવલિ આહારક તેમાં છદ્મસ્થાહારક છદ્મસ્થાહારક પણાથી ઓછામાં બે સમયહીન મુદ્દભવગ્રહણ કરવા રૂપ કાળ સુધી રહે છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી રહે છે. કેવલી આહારક જઘન્યથી એક અંતર્મુહૂર્તનું સુધી અને ઉત્કૃષ્ટથી કંઈક ઓછા પૂર્વ કોટિ સુધી કેવલી આહારક પણાથી રહે છે. અનાહારક બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક છદ્મસ્થ અનાહારક અને બીજા કેવલી અનાહારક છઘી અનાહારક ઓછા માં ઓછા એક સમય પર્યન્ત અને ઉત્કૃષ્ટ બે સમય પર્યન્ત છદ્મસ્થ અનાહારક પણાથી રહે છે. કેવલી અનાહારક બે પ્રકારના કહેવામાં આવેલા એક સિદ્ધ કેવલી અનાહારક અને બીજા ભવસ્થ કેવલી અનાહારક છે. સિદ્ધ કેવલી અનાહારક પણાથી સાદિ પર્યવસિત કાળ પર્યન્ત રહે છે. ભવસ્થ કેવલી અનાહારક બે પ્રકારના કહેવામાં આવેલા છે. એક સયોગી ભવસ્થ કેવલી અનાહારક અને બીજા અયોગી ભવસ્થ કેવલી અનાહારક એમાં અયોગિ ભવસ્થ કેવલિ અનાહારક જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી રહે છે. છદ્મસ્થ આહારકનું અંતર જઘન્યથી એક સમયનું અને ઉત્કૃષ્ટથી બે સમયનું હોય છે. કેવલિ આહારકનું અંતર જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમયનું છે. આજ કેવલિ આહારક યોગી ભવસ્થ કેવલી કહેલા છે. છદ્મસ્થ અનાહારકનું અંતર જઘન્યથી તો બે સમય કિમ ક્ષુદ્ર ભવગ્રહણ કરવા રૂપ કાળ પ્રમાણનું છે. અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ પ્રમાણનું હોય છે. સાદિ અપર્યવસિત સિદ્ધ કેવલિ અનાહારકનું અપર્યવસિત હોવાથી અંતર હોતું નથી સયોગી ભવસ્થ કેવલી અનાહારક હોય છે, તેમનું અંતર જઘન્યથી અને ઉત્કૃષ્ટથી એકજ અંતર્મુહૂર્તનું હોય છે. જે અયોગિ ભવસ્થ કેવલિ અનાહારક હોય છે. તેઓને પણ અંતર હોતું નથી.અનાહારક જીવ સોથી ઓછા છે. તેના કરતાં આહારક જીવો અસંખ્યાતગણા વધારે છે. અથવા સઘળા જીવોઆ રીતે પણ બે પ્રકારના કહેવામાં આવે છે. એક સભાષક અને બીજા અભાષક. ભાષક ભાષક પણાથી ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. અભાષક બે પ્રકારના કહેવામાં આવેલા એક સાદિક અપર્યવસિત અને બીજા સાદિક સપર્યવસિત તેમાં અભાષક સાદિક સપર્યવસિત છે. તે જઘન્યથી એક અંતર્મુહૂર્ત સુધી અને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી અભાષક પણાથી રહી શકે છે. તથા અભાષકનો અભાષપણાથી રહેવાનો ઉત્કૃષ્ટ કાળ વનસ્પતિ કાળ પ્રમાણે છે. ભાષકનો અંતરકાળ જઘન્યથી તો એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ પ્રમાણ સાદિ અપર્યવસિત અભાષકનો અંતરકાળ અભાષ કના અપર્યવસિત પણામાં છે જ નહીં આ અભાષક અને ભાષકમાં સૌથી ઓછા ભાષક છે. અને અભાષક તેનાથી અનંતગણા અથવા સશરીર અને શરીરના ભેદથી સઘળા જીવો બે પ્રકારના છે. અશરીરી સિદ્ધ જીવો-કામણ શરીર રહિત જીવો સૌથી ઓછા છે. અને તેના કરતાં સશરીરી જીવો અનંતગણા વધારે છે. અથવા સઘળા જીવોઆ પ્રમાણે પણ બે પ્રકારના ચરમ છેલ્લા ભાવવિશેષ વાળા એવા ભવ્ય જીવો અને અચરમ અનેક ભવોવાળા –અભવ્ય જીવ હે ભગવન્! ચરમ જીવ ચરણ પણાથી કેટલો કાળ રહે છે.? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy