SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ ૫ ૧૫ શરીરબાદરવનસ્પતિ કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વી કાયિક અપપ્તિક, તેના કરતાં બાદર અપ્લાયિક અપયપ્તિક, તેના કરતાં પણ બાદર કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપયપ્તિક સૂક્ષ્મ તેજસ્કા યિક અસંખ્યાતગણા વધારે તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મપૃથ્વીકાયક તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ અપ્પા યિક તેના કરતાં અપર્યાપ્તક વાયુકાયિક એ બધા ક્રમશઃ પિછ પછિના વિશેષાધિક થતા ગયેલ છે. સૂક્ષ્મ વાયુકાયિક અપપ્તિકના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ તેજસ્કાયિક સંખ્યાત ગણા વધારે તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક વિશેષાધિક તેના કરતાં સૂક્ષ્મ નિગોદ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક જીવ અનંતગણા છે બાદર વનસ્પતિ કાયિક જીવ પર્યાપ્તક સૂક્ષ્મ નિગોદોના કરતાં અનંતગણા વધારે છે. સામાન્ય બાદર પપ્તિક, પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિકોના કરતાં વિશેષાધિક છે, સામાન્ય પર્યાપ્ત કોના કરતાં અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક અસંખ્યાતગણા વધારે તેના કરતાં બાદર અપર્યાપ્તક વિશેષાધિક છે. બાદર અપર્યાપ્ત કોના કરતાં સામાન્ય બાદર જીવ વિશેષાધિક સામાન્ય બાદર જીવોના કરતાં અપ પ્તિક સૂક્ષ્મ વનસ્પતિકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. અપયપ્તિક સૂક્ષ્મ જીવોના કરતાં સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તક જીવ સંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મપર્યાપ્તક વનસ્પતિકાયિકોના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. પર્યાપ્તક જીવોના કરતાં સામાન્ય સૂક્ષ્મ જીવ વિશેષાધિક છે. હે ભગવન્ ! નિગોદ જીવ કેટલા પ્રકારના કહેલામાંઆવેલ છે ? હે ગૌતમ ! નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. જેમકે એક નિગોદ અને બીજા નિગોદ જીવોના આશ્રયસ્થાન રૂપ જે હોય તે નિગોદ કહેવાય છે, અને જેટલા તૈજસ અને કાર્મણ ભિન્ન હોય છે તે નિગોદ જીવ છે. નિગોદ બે પ્રકારના કહેલામાં આવેલ છે. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ સમસ્ત લોકમાં સૂક્ષ્મ નિગોદ તલમાં તેલની જેમ ભરેલા રહે છે. મૂળ કન્દ વિગેરે રૂપ જે જીવ વિશેષ છે, તે બાદર નિગોદ છે. સૂક્ષ્મ નિગોદ બે પ્રકારના કહેવામાં આવેલ છે. પર્યાપ્તક અને અપપ્તિક એજ પ્રમાણે બાદર નિગોદ પણ બે પ્રકારના કહેવામાં આવેલ છે. બાદર પર્યાપ્તક અને બાદર અપર્યાપ્તક. હે ભગવન્ ! દ્રવ્ય રૂપે નિગોદ-જીવાશ્રય વિશેષ શરીર રૂપ નિગોદ શું સંખ્યાત છે ? અથવા અસંખ્યાત છે ? કે હે ગૌતમ ! નિગોદ સંખ્યાત નથી. અને અનંત પણ નથી. પરંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે પર્યાપ્તક નિગોદ પણ સંખ્યાત નથી. અનંત પણ નથી. પરંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે અપર્યાપ્તક નિગોદ પણ અસંખ્યાતજ છે. અનંત કે સંખ્યાત નથી. સૂક્ષ્મ નિગોદ જીવો સંખ્યાત નથી. તેમજ અનંત પણ નથી કિંતુ અસંખ્યાત છે. એજ પ્રમાણે બાદર નિગોદ જીવ અને તેના ભેદ રૂપ પર્યાપ્તિક અને અપર્યાપ્તક ભેદો પણ અસંખ્યાતજ છે. 'નિગોદ પ્રદેશોની દષ્ટિથી સંખ્યાત નથી તેમજ અસંખ્યાત પણ નથી. પણ અનંત છે, એજ પ્રમાણે સૂક્ષ્મ નિગોદ પણ અને તેના પર્યાપ્તક અને અપર્યાપ્તક ભેદો પણ પ્રદેશોની દૃષ્ટિથી અનંતજ છે. સંખ્યાત કે અસંખ્યાત હોતા નથી. એજ પ્રમાણે બાદર નિગોદ અને તેના પર્યાપ્તક અપર્યાપ્તક ભેદો પણ પ્રદેશ પણાથી અનંત જ છે. સંખ્યાત કે અસંખ્યાત નથી. એજ પ્રમાણે પ્રદેશપણાથી નવ પ્રકારના નિગોદ જીવો પણ અનંત જ છે. For Private & Personal Use Only Jajn Education International www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy