SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, વૈમાનિક ઉદેસા-૨ ૧૫૫ છે. રૈવેયક દેવ અને મધ્યમ ગ્રેવેયકના દેવ છઠી પૃથ્વીના ચરમાન્ત પર્યન્ત જાણે છે. અને દેખે છે. ઉપરિતન સૈવેયકના દેવો સાતમી પૃથ્વીના ચરમાન્ત સુધી જાણે છે. અને દેખે છે. હે ભગવનું અનુત્તરોપપાતિક દેવો પોતાના અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે અને દેખે છે ? અનુત્તરોપપાતિક દેવો પૂર્ણ ચૌદ રાજુ પ્રમાણ વાળા આ સમગ્ર લોકનાલીને જાણે છે. અને દેખે છે. [૩૩૭–૩૪૩ હે ભગવનું સૌધર્મ અને ઈશાન દેવોના કેટલા સમુદ્યાત હોય છે? હે ગૌતમ ! તેઓને પાંચ સમુદ્રઘાતો છે. વેદના કષાય મારણાંતિક વૈક્રિય અને તૈજસ સમુદ્યાત એજ પ્રમાણે સનકુમારથી લઈને અશ્રુતકલ્પ સુધીમાં પાંચ સમુદ્યાતો હોય છે શૈવેયક વિમાનવાસી દેવોને આદિના ત્રણ સમુદ્રઘાતો હોય છે અનુત્તરોપપાતિક દેવોને પણ આજ ત્રણ સમુદ્દઘાતો હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો સુધા અને પિપાસાનો અનુભવ કરતા નથી. એ જ પ્રમાણે સનકુમારથી લઈને અનુત્તરોપપાતિક સુધીના દેવો પણ ભૂખ તરસ રહિત હોય છે. સૌધર્મ અને ઈશાન કલ્પના દેવો એક સમયમાં એક રૂપની પણ વિદુર્વણા કરવાને સમર્થ છે અને અનેક રૂપોની વિતુર્વણા કરવાને પણ સમર્થ છે. જ્યારે તેઓ એક સમયમાં એક જ રૂપની વિકુર્વણા કરે તો તેઓ એકેન્દ્રિય જીવોના રૂપની વિફર્વણા કરે છે. યાવતુ પંચેન્દ્રિય જીવના રૂપની વિદુર્વણા કરે છે. એક સમયમાં અનેક રૂપોની વિકુર્વણા કરતા નથી. અને જ્યારે તેઓ એક સમયમાં અનેક રૂપોની વિદુર્વણા કરે છે તો એકેન્દ્રિય જીવના રૂપની પણ વિકુવણી કરે છે. યાવતું પંચેન્દ્રિય જીવના રૂપની પણ વિદુર્વણા કરે છે. આ રીતે એક રૂપની અને અનેક રૂપોની વિદુર્વણા કરવાનું આ કથન સનકુમારથી લઈને અશ્રુત કલ્પ સુધીના દેવોના સંબંધમાં કહેવું જોઇએ. અનુત્તરોપપાતિક દેવ પૂર્વોક્ત પ્રકારથી એક રૂપની પણ વિકવણા કરી શકે છે અને અનેક રૂપોની પણ વિદુર્વણા કરી શકે છે. પરંતુ અત્યાર સુધી તેઓએ તેમ કર્યું નથી તથા વર્તમાનમાં તેમ કરતા નથી. ભવિષ્યમાં તેમ કરશે નહીં સૌધર્મ અને ઇશાન કલ્પના દેવો મનોજ્ઞ શબ્દ જન્ય યાવતું મનોજ્ઞ સ્પર્શથી પ્રાપ્ત થયેલ સુખોનો અનુભવ કરે છે. આ પ્રમાણેનો આ સુખાનુભવ રૈવેયક સુધીના દેવોને હોય છે. અને જે અનુત્તરોપ પાતિક દેવો છે, તે અનુત્તર શબ્દથી થવાવાળા અને અનુત્તર સ્પર્શથી થવાવાળા સુખ નો અનુભવ કરે છે. સૌધર્મ અને ઇશાન કલ્પના દેવોની ઋદ્ધિ ઘણી મોટી કહેવામાં આવેલ છે. તેથી તેઓ મહા ઋદ્ધિવાળા, મહાદ્યુતિવાળા, યાવતું મહાપ્રભાવવાળા હોય છે. એ જ પ્રમાણે મહા ઋદ્ધિ વિગેરે વિશેષણો વાળા સનકુમાર દેવોથી લઈને અશ્રુત કલ્પ સુધીના દેવો. હોય છે. રૈવેયક દેવોથી લઈને અનુત્તર વિમાનો સુધીના દેવા પણ મહદ્ધિક યાવતુ મહાપ્રભાવવાળા હોય છે. અને એ બધા ઈન્દ્ર વિનાના હોય છે. અને પોતે જ એક એકની સંખ્યામાં ઇન્દ્ર હોય છે. સૌધર્મ અને ઈશાન દેવોના શરીર બે પ્રકારના હોય છે. એક વૈક્રિય શરીર અને બીજા અવૈક્રિય શરીર તેમાં જે વૈક્રિય શરીર હોય છે, અને તે પોતાની પ્રભાથી દશ દિશાને પ્રકાશિત કરતા તેને ઉદ્યોતિત કરતા યાવત્ પ્રતિ રૂપ હોય છે. અને જે અક્રિય શરીર હોય છે તે આભૂષણો, વસ્ત્રો વિનાના હોય છે. અને પ્રકૃતિસ્થ હોય છે. તેથી તેની શોભા નૈસર્ગિકી-સ્વાભાવિકી હોય છે. સૌધર્મ અને ઇશાન કલ્પોમાં દેવિયો તેમના શરીરો બે પ્રકારના હોય છે. એક વૈક્રિય શરીરવાળી અને બીજી અવૈક્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy