SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જીવાજીવાભિગમ - ૩વિ.૧/૩૨૫ ૪ ચાર પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. મહાશુક્ર કલ્પની ઉપર દિશા વિદિશાઓમાં અનેક યોજન યાત્ દૂર જવાથી આવતા એજ સ્થાન પર સહસ્રાર નામનું કલ્પ છે. આ કલ્પ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબો અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળો છે. પરિપૂર્ણ ચંદ્રના જેવું તેનું સંસ્થાન છે. વિગેરે પ્રકારનું સઘળું કથન બ્રહ્મલોકના કથન પ્રમાણે સમજી લેવું. આ કલ્પમાં છ હજાર વિમાનવાસ છે. આભ્યન્તર પરિષદામાં પાંચસો દેવો છે-મધ્યપરિષદામાં ૧૦૦૦ દેવો છે. અને બાહ્ય પરિષદામાં એક હજાર દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ ૧૭ા સાગરોપમની અને ૭ સાત પલ્યોપમની છે. મધ્ય પરિષદાના દેવોની સ્થિતિ અઢાર સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ ૧ા સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. સહસ્રાર કલ્પની ઉપર દિશા અને વિદિશા ઓમાં અનેક યોજન આગળ જવાથી આવતા સ્થાનમાં આનત પ્રાણત નામના બે કલ્પો આવેલા છે. આનત પ્રાણત દેવોના ૪૦૦ વિમાનાવાસો છે, પહેલી આભ્યન્તર પરિષદોના ૨૫૦ દેવો છે. મધ્ય પરિષદામાં ૫૦૦ દેવ છે. અને બાહ્ય પરિષદામાં ૧૦૦૦ દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ ૧૮ા સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમપરિષદાના દેવોની સ્થિતિ ૧૮૫ સાગરોપમ અને ૪ પલ્યોપમની છે. અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ ૧૮૫ સાગરોપમ અને ૩ પલ્યોપમની છે. આનત પ્રાણત કલ્પોની ઉપર વિદિશાઓમાં અનેક યોજનો સુધી યાવત્ જવાથી ત્યાં આવતા સ્થાનમાં આરણ અચ્યુત નામના બે કલ્પો છે. આ ત્રણસો વિમાનોના અધિપતિ પણે હજાર સામાનિક દેવો છે. તેમજ ચાળીસ હજાર આત્મરક્ષક દેવો છે. આરણ અચ્યુત કલ્પોની ઉપર દિશા અને વિદિશામાં ઘણા વધારે યોજનો સુધી ઉંચે . જવાથી આવતા સ્થાન પર અત્રૈિવેયકોના ત્રણ વિમાનો છે. એ વિમાનો પૂર્વથી પશ્ચિમ સુધી લાંબા અને ઉત્તરથી દક્ષિણ સુધીના પહોળા છે. પૂર્ણ ચંદ્રના જેવું તેમનું સંસ્થાન છે. તેમની આભા ભાસરાશીના જેવી છે. તેમની લંબાઇ પહોળાઇ અસંખ્યાત કોડા કોડી યોજનોની છે. અને તેનો પરિક્ષેપ પણ અસંખ્યાત કોડા કોડી યોજનાનો છે. એ બધા સર્વાત્મના રજતમય છે. અચ્છ યાવત્ પ્રતિ રૂપ છે. આ બધા દેવો એક સરખી ઋદ્ધિવાળા હોય છે અને સમાન દ્યુતિવાળા હોય છે. સમાન બળવાળા હોય છે. સમાન યશ વાળા હોય છે. સમાન પ્રભાવાળા હોય છે, અને સરખી રીતે સુખી હોય છે. તેમના અધિપતિ કોઇ બીજો ઇન્દ્ર હોતો નથી. તેથી તેઓને અનિંદ્ર કહેવામાં આવે છે. આ દેવો પોતેજ અમિન્દ્ર હોય છે. અધસ્તન ત્રૈવેયકોના કથન પ્રમાણે મધ્યમ ત્રૈવેયક અને ઉપરિતન ત્રૈવેયકનું કથન પણ સમજી લેવું. અધસ્તન ત્રૈવેયકોમાં ૧૧૧ વિમાનો છે. મધ્યમ શૈવેયકોમાં ૧૦૭ વિમાનો છે. અને ઉપરિતન ત્રૈવેયકોમાં ૧૦૦ વિમાનો છે. આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિભાગની ઉપર ઘણા કોડાકોડી યોજનો સુધી આગળ દૂર જવાથી તથા સૌધર્મ ઇશાન, યાવત્ આરણ અચ્યુત તથા ત્રૈવેયક વિમાનોને પાર કરીને પણ તેનાથી પણ આગળ ઘણેજ દૂર ઘણું વિશાલ અનુત્તરોપપાતિક નામનું દેવોનું વિમાન છે. એ વિમાન નિર્મલ, નીરજસ્ક છે. અંધકાર રહિત છે. વિશુદ્ધ છે. અને પાંચ દિશાઓમાં છે. પ્રતિપતિઃ ૩-વૈમાનિક ઉદ્દેસો ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy