SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૧૩૧ વેદિકા અને પદ્મવર વેદિકાની ચારે તરફ એક વનખંડ છે. વારૂણવર સમુદ્રના જે પ્રદેશો વરૂણવર દ્વીપને સ્પર્શેલાછે, તે પ્રદેશો વારૂણવર સમુદ્રનાજ કહેવાશે. અહીંના જીવો મરીને આ દ્વીપમાં પણ ઉત્પન્ન થાય છે અને અન્યત્ર પણ ઉત્પન્ન થાય છે. વરૂણોદ સમુદ્રનું જલ લોક પ્રસિદ્ધ ચંદ્રપ્રભા નામની સુરા જેવું હોય છે, મણિશલાકા નામની સુરા જેવી હોય છે, વરવારૂણી જેવી હોય છે. પત્રાસવ જેવો હોય છે. જેવો પુષ્પાસવ હોય છે, ફળાસવ જેવો હોય છે. સોયાસવ જેવો હોય છે, ખન્નુર સાર જેવો હોય છે, મદ્રીકાસાર જેવો હોય છે. કાપિ શાયન જેવું હોય છે. સારી રીતે પકાવેલ ક્ષોદ રસ જેવો હોય છે, વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શ પર્યન્તના વિશેષણોથી યુક્ત સુરા-શરાબ-દારૂ જેવો હોય છે. એજ પ્રમાણે મિઠાશ વિગેરેથી યુક્ત તે સમુદ્રનું જળ હોય છે. તેથી આ મીઠાશ વિગેરે નિમિત્તને લઇને આનું નામ વારૂણી પર સમુદ્ર એવું કહેવાયું છે. પ્રભુના આ પ્રમાણે કહેવાથી ફરીથી ગૌતમ સ્વામીએ પૂછયું છે હે ભગવન્ વારૂણોદક સમુદ્રનું જળ આવા પ્રકારના વર્ણવાળું છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. કેમકે વરૂણ સમુદ્રનું જળતો સ્વાદમાં આ સુરા વગેરેના સમૂહથી વિશેષ ઇષ્ટતર છે. કાનતતર છે, પ્રિયતર છે. મનોજ્ઞતર છે, અને મન આમત૨ છે આ કારણથી હે ગૌતમ ! આ સમુદ્રનું નામ વરૂણવર સમુદ્ર એ પ્રમાણે કહેવાયેલ છે. એ વરૂણવર સમુદ્રમાં વારૂણ અને વરૂણકાંત એ નામના બે દેવો રહે છે. તેથી આ દેવોનો ત્યાં સદ્ભાવ હોવાના કારણથી આ સમુદ્રનું નામ એ પ્રમાણે થયેલ છે. તથા આ સમુદ્રનું નામ યાવત્ નિત્ય છે, અહીંયાં સઘળા જ્યોતિષ્ક દેવો સંખ્યાત જ છે. તેમ સમજી લેવું. [૨૯૨] વરુણવ૨ સમુદ્રને ક્ષીરવ૨ નામનો દ્વીપ ચારે બાજુએથી ઘેરીને રહેલ છે. આ દ્વીપ ગોળ છે. અને ગોળ વલયના આકારવાળો છે. તેથી એને સમચક્રવાલ સંસ્થાનવાળો કહેવામાં આવેલ છે. તેનો સમચક્રવાલ વિષ્ફભ એક લાખ યોજનનો કહેવામાં આવેલ છે. અને તેનો પરિક્ષેપ પણ એટલોજ કહેલ છે. હે ભગવન્ ક્ષીરવ૨ દ્વીપના જેટલા પ્રદેશો ક્ષીર સમુદ્રને સ્પર્શેલો છે. તે પ્રદેશો ક્ષીરવર દ્વીપના કહેવામાં આવશે ? કે ક્ષી૨વ૨ સમુદ્રના કહેવાશે ? હે ગૌતમ ! એ પ્રદેશો ક્ષીરવર દ્વીપનાજ કહેવામાં આવશે. હે ભગવન્ ક્ષીરવર દ્વીપના જીવો જ્યારે મરે છે તો મરીને તેઓ શું ત્યાંજ ઉત્પન્ન થાય છે ? અથવા તે સિવાયના કોઇ બીજાજ સ્થાનમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! એવોક કોઇ નિયમ નથી કે ત્યાં મરેલા જીવો ત્યાંજ ઉત્પન્ન થાય બીજે ઉત્પન્ન થાય નહીં. હે ભગવન્ ક્ષીરવર દ્વીપ એ પ્રમાણેનું આ દ્વીપનું નામ શા કારણથી થયેલ છે ? હે ગૌતમ ! ક્ષી૨વ૨ દ્વીપમાં સ્થળે સ્થળે અનેક નાની મોટી વાવો છે. યાવત્ બિલપંકિતયો છે. તેમાં દૂધના જેવું પાણી ભરેલું છે. તેમાં ઉત્પાદ પર્વતો છે. પર્વતોની ઉપર આસન છે. મંડપો છે. મંડપોમાં પૃથ્વીશિલાપટ્ટકો છે. આ શિલાપટ્ટકો સર્વાત્મના રત્નમય છે. સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં આગળ અનેક વાનવ્યન્તર દેવો અને દેવિયો ઉઠે છે, બેસે છે. સુવે છે. યાવત્ પૂર્વક વિહાર કરે છે અહીંયાં પુંડરીક અને પુષ્પદંત એ નામના બે દેવો રહે છે. તેઓ મહદ્ધિક વિગેરે વિશેષણો વાળા છે. તેમજ એક પલ્યોપમની સ્થિતિ વાળા છે. આ દ્વીપ આ નામવાળો અનાદિ કાળથીજ પ્રસિદ્ધ થયેલ છે. પહેલાં પણ એજ નામથી પ્રસિદ્ધ હતો, વર્તમાન માં પણ એ એજ નામથી પ્રસિદ્ધ છે પછી પણ રહેશે. અહીયાં પણ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા એ બધા સંખ્યાતજ છે. આ ક્ષીરવર સમુદ્રને ચારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy