SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૧૨૯ સાગરોપમ, ઉત્સર્પિણી અવસર્પિણી, એ બધા છે, ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી બાદર વિદ્યુત અને બાદર સ્વનિત-મેઘોના શબ્દો છે ત્યાં સુધી આ લોક છે. જ્યાં સુધી અનેક ઉદાર મેઘો ઉત્પન્ન થાય છે, વરસાદ વરસાવે છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. બાદર તેજસ્કાયિક છે ત્યાં સુધી આ મનુષ્ય લોક છે. જ્યાં સુધી આગર, નદી, અને નિધિ છે ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી અગડ, નદી વિગેરે છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે, જ્યાં સુધી ચંદ્રોપ રાગ સૂયોપરાગ, ચંદ્રપરિવેષ, સૂર્યપરિવેષ, પ્રતિચંદ્ર, પ્રતિસૂર્ય, ઈન્દ્ર ધનુષ ઉદક મત્સ્ય, અને કપિસિત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, અને તારાઓનું ગમના ગમન થાય છે, તેમની વધ ઘટ થાય છે, તેમનું અનવસ્થિત પણે છે, સંસ્થાનની સ્થિતિ છે, ત્યાં સુધી આ મનુષ્ય લોક છે. [૨૮૮] હે ભગવનું મનુષ્ય ક્ષેત્રના જે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ છે, તે જ્યોતિષ્કદેવ છે, તો તે જ્યોતિષ્ક દેવો ઉધ્ધપપન્ન છે? અથવા મંડળ પરિભ્રમણને પ્રાપ્ત થયેલા છે ? અથવા ચારસ્થિતિના અભાવવાળા છે ? સ્થિર છે ? અથવા ગતિમાં રતિવાળા છે? હે ગૌતમ ! એ દેવો ઉર્ધ્વપપન્ન હોતા નથી. તેમજ કલ્પોપપત્ર પણ હોતા. નથી. પરંતુ વિમાનોપપન્ન છે. ચાર સહિત છે, મંડલાકાર ગતિવાળા છે. ગતિના અભાવ વાળા નથી. સ્વભાવથીજ તેઓ ગતિરતિક છે, અને સાક્ષાત્ ગતિથી યુક્ત છે. ઉંચા મુખવાળા કદમ્બના પુષ્પોના જેવા આકારવાળા અનેક યોજન સહસ્ત્રપ્રમાણથી યુક્ત ક્ષેત્રોમાં એ ભ્રમણ કરે છે, તેમજ તેની સાથે બહારના વિકુર્વિત પરિષદાના દેવ રહે છે. ઘણાજ ઠાઠમાઠથી નાચ કરતા એવા, ગીતગાતા એવા, વાજીંત્ર તંત્રી તલ તાલ ત્રુટિત. વિગેરે વાજીંત્રો વગાડતા એવા એ વાજીંત્રોના શબ્દોથી જાણે તેઓ સિંહના જેવી જાણે કે ગર્જનાઓ ન કરતા હોય? એવી રીતે શબ્દો કરતા તથા ઘન ઘોર શબ્દો કરતા કરતાં તથા દિવ્ય એવા ભોગ ભોગવતા એ સ્વચ્છ, નિર્મલ, પર્વતરાજ મેરૂની મંડલા કારથી, પ્રદક્ષિણા કરતા રહે છે. જ્યાં સુધી ત્યાં બીજો ઈન્દ્ર ઉત્પન્ન થતો નથી ત્યાં સુધીમાં તેઓ ત્યાંના ચાર પાંચ સામાનિક દેવો એ ઈદ્રના સ્થાન પર રહે છે. અને જ્યારે ત્યાં બીજો ઈદ્ર ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે એ સામાનિક દેવો તે સ્થાનને છોડી દે છે. એ સ્થાન ઓછામાં ઓછા એક સમય સુધી અને વધારેમાં વધારે છ માસ સુધી ઈદ્રથી રહિત બનેલ રહે છે. હે ભગવનું મનુષ્યક્ષેત્રની બહારના સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, અને તારાઓ આ બધા દેવો શું ઉપપત્રક હોય છે ? એ દેવો ઉર્ધ્વપપત્રક હોતા નથી. તેમજ કલ્યોપ પત્રક પણ હોતી નથી. પરંતુ તેઓ વિમાનોપપત્રક હોય છે ? ચારોપપત્રક હોતા નથી. સ્થિર ગતિવાળા હોય છે. પાકેલી ઈટના જેવા આકારવાળા એવા લાખો યોજન સુધીનું તેમનું તાપ ક્ષેત્ર છે. એ અનેક હજારની સંખ્યાવાળા બાહ્ય પરિષદના દેવોની સાથે સાથે ઘણાજ જોરથી વગાડવામાં આવેલ વાજીંત્રોના શબ્દોથી નૃત્યના શબ્દોથી અને ગીતના શબ્દોથી જાણે સમુદ્રને વાચાવાળો કરતા ન હોય તેમ કરીને દિવ્ય એવા ભોગભોગોને ભોગવતા રહે છે. ચંદ્રની અપેક્ષાએ તેઓ શુભલેશ્યાવાળા છે. શીત લેશ્યાવાળા છે. મંદલે પળા છે. ચિત્રાંતર લેશ્યાવાળા છે. કૂટની માફક તેઓ એકજ સ્થાન પર રહે છે. પરસ્પરમાં એક બીજાના તેજની સાથે જેઓના તેજ મળેલ છે, એવા પ્રકારની લેશ્યાઓથી તેઓ એ પ્રદેશોને ચારે બાજાએથી ચમકાવે છે. ઉદ્યોતિત કરે છે; તપાવે છે. પ્રકાશિત કરે છે. યાવતું જ્યાં સુધી ત્યાં બીજો ઇંદ્ર ઉત્પન્ન થતો નથી. ત્યાં સુધી ચાર કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy