SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જીવાજીવાભિગમ - ૧/-/૬ છે. (૧) સંસાર સમાપત્રક જીવાભિગમ અને (૨) અસંસાર સમાપન્નક જીવાભિગમ. [9] હે ભગવાન્ ! અસંસાર સમાપત્રક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે ? તેના કેટલા પ્રકાર છે ? (૧) અન્નતર સિદ્ધ અસંસારસમાપત્રક જીવાભિગમ અને (૨) પરંપર સિદ્ધ અસંસાર સમાપત્રક, હે ભગવાન્ ! અનન્તર સિદ્ધ અસંસારસમાપત્રક જીવા ભિગમ કેટલા પ્રકારના છે ? હે ગૌતમ ! અનન્તસિદ્ધ અસંસારસમાપત્રક જીવાભિગમ પંદર પ્રકારનો કહ્યા છે. તીર્થસિદ્ધથી લઈને અનેક સિદ્ધ પર્યંત હે ભગવન્ ! પરમ્પર સિદ્ધ સંસાર સમાપન્ન જીવાભિ ગમ-કેટલા પ્રકારે છે ? હે ગૌતમ ! પરસ્પર સિદ્ધ અસંસાર સમાપત્રક જીવાભિગમ અનેક પ્રકારનો કહ્યો છે. (૧) પ્રથમ સમયમાં સિદ્ધ (૨)દ્વિતીય સમયમાં સિદ્ધ, ઈત્યાદિ અનંત સમય સિદ્ધ પર્યંતના. [૮] હે ભગવાન્ ! સંસારસમાપન્નક જીવાભિગમનું સ્વરૂપ કેવું છે ? હે ગૌતમ ! સંસાર સમાપન્નક જીવોના પ્રકાર વિષે નવ માન્યતાઓ છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપત્રક જીવો બે પ્રકારના હોય છે. કોઈ કોઈ આચાર્ય એવું કહે છે કે સંસાર સમાપત્રક જીવો ત્રણ પ્રકારના હોય છે. કોઈ કહે છે કે સંસાર સમાપન્નક જીવો ચાર પ્રકારના હોય છે. કોઈ કહે છે કે-સંસાર સમાપન્નક જીવો પાંચ પ્રકારના હોય છે. આ પ્રકારે સંસાર સમાપત્રક જીવોના દસ પર્યન્તના પ્રકારો સર્વજી લેવા. [૯] તે નવ પ્રતિપત્તિઓમાંની કેટલાક આચાર્યોની એવી જે માન્યતા છે કે સંસાર સમાપત્રક જીવોના બે પ્રકારો કહે છે.ને આ પ્રમાણે(૧) ત્રસ અને (૨) સ્થાવર. [૧૦] હે ભગવાન્ ! સ્થાવર જીવોનું સ્વરૂપ કેવું છે સ્થાવર જીવોના ત્રણ પ્રકાર છે(૧) પૃથ્વીકાયિક, (૨) અાયિક અને (૩) વનસ્પતિકાયિક, [૧૧] હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો કેટલા પ્રકારના છે ? હે ગૌતમ ! પૃથ્વી કાયિક જીવો બે પ્રકારના કહ્યા છે..(૧) સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને (૨) બાદર પૃથ્વીકાયિક. [૧૨] હે ભગવાન્ ! સૂક્ષ્મ પૃથ્વીકાયિકોના કેટલા પ્રકાર છે? બે પ્રકારના (૧) પર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક અને (૨) અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વીકાયિક. [૧૩] સૂક્ષ્મ જીવોના ૨૩ દ્વાર અહીં પ્રકટ કરવામાં આવ્યાં છે. સૂક્ષ્મપૃથ્વી કાયિકા જીવોના શરીરની વક્તવ્યતા,તેમની અવગાહનાની વક્તવ્યતા,સંહનનની વક્ત વ્યતા, સંસ્થાનની, કષાયોની, સંજ્ઞાવિષયક, લેશ્યા વિષયક, તેમની ઈન્દ્રિયો સંબંધી, સમુદ્દાત સંબંધી, સંશી અસંશી સંબંધી, વેદ સંબંધી, પતિક અપર્યાપ્તિ, દ્રષ્ટિની, દર્શનની, જ્ઞાનની, યોગની, ઉપયોગની, આહાર સંબંધી, ઉપપાત ની, સ્થિતિની, સમુદ્ઘાતની, ચ્યવનની અને ગતિ આગતિ વક્તવ્યતા. [૧૪] હે ભગવાન્ ! તે સૂક્ષ્મકાયિક જીવોને કેટલા શરીર હોય છે ? ત્રણ શરીર હોય છે. ઔદારિક શરીર, તૈજસ શરીર અને (૩) કાર્યણશરીર. હે ભગવન્ ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોના શરીરની અવગાહન કેટલી મોટી કહી છે ? ઓછામાં ઓછી અવગાહ ના આંગળના અસંખ્યાતમાં ભાગપ્રમાણ કહી છે. અને વધારેમાં વધારે અવગાહના પણ આંગળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે કહી છે. હે ભગવન્ ! આ સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોના શરીર કેવાં સંહનનવાળાં હોય છે ? હે ગૌતમ ! સેવાત્ત સંહનન વાળાં હોય છે ? હે ભગવન્ ! આ સૂક્ષ્મપૃથ્વીકાયિકજીવો કેવાં સંસ્થાનવાળા હોય છે ? તેમના શરી૨નો આકાર મસૂર અને ચન્દ્રના જેવા હોય છે. હે ભગવન્ ! આ સૂક્ષ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy