SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ જીવાજીવાભિગમ - ૩/ઠ્ઠી.સ./૧૯૧ એક સિદ્ધાયતન છે, આ સિદ્ધાયતનનું વર્ણન જંબૂસુદર્શનાની શાખા પ૨ આવેલ સિદ્ધાયતન મુજબ જાણવું. આ સિદ્ધાયતનમાં એક મણિપીઠિકા છે. તેની ઉપર એક દેવચ્છન્દ છે. દેવચ્છન્દકમાં પોતપોતાના શરીરની અવગાહનાના પ્રમાણવાળી અરિહંત ભગવંતોની પ્રતિમાઓ છે, જંબૂસુદર્શનાની પૂર્વ દિશામાં આવેલ જે ભવન છે. એ ભવનની દક્ષિણ દિશામાં તથા વાયવ્ય વિગેરે દિશાઓમાં આવેલ જે પ્રાસાદાવતંસક છે તેની ઉત્તર દિશામાં એક વિશાળ ફૂટ છે, આ ફૂટની ઉપર એક સિદ્ધાયતન છે. જંબૂસુદર્શનાના દક્ષિણના ભવનથી પૂર્વ દિશામાં અને અગ્નિ ખુણામાં આવેલ જે પ્રાસાદાવતંસક છે તેની પશ્ચિમ દિશામાં એક ઘણોજ મોટો કૂટ આવેલ છે. એજ પ્રમાણે જંબૂસુદર્શનાની દક્ષિણ દિશામાં જે ભવન છે તેની પશ્ચિમ દિશામાં અને નૈઋત્ય ખૂણાના પ્રાસાદાવતંસકની પૂર્વ દિશામાં એજ પ્રમાણેનો જંબૂસુદર્શનાની પશ્ચિમ દિશાના ભવનની દક્ષિણ દિશામાં અને નૈઋત્ય ખૂણાના પ્રાસાદા વતંસકની ઉત્તર દિશામાં એક વિશાળ ફૂટ છે. એજ પ્રમાણે જંબૂસુદર્શનાની પશ્ચિમ દિશાના ભવનની ઉત્તર દિશામાં અને વાયવ્ય ખૂણાના પ્રાસાદાવતંસકની દક્ષિણ દિશામાં એક વિશાળ કૂટ આવેલ છે. જંબૂસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પશ્ચિમ દિશામાં અને ઉત્તર પશ્ચિમ ખૂણાના પ્રાસાદાવતંસકની પૂર્વ દિશામાં એક વિશાળ કૂટ છે. જંબૂસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પૂર્વ દિશામાં અને ઉત્તર ખૂણામાં આવેલ પ્રાસાદાવતંસકની પૂર્વ દિશામાં એક વિશાળ ફૂટ છે. જંબૂસુદર્શનાની ઉત્તર દિશાના ભવનની પૂર્વીદેશામાં અને ઉત્તરપૂર્વના ખૂણાના પ્રાસાદાવતંસકની પશ્ચિમ દિશામાં એક વિશાળ ફૂટ છે. અહીયાં એ બધા કૂટોનું, સિદ્ધાયતનનું તથા તેમાં બિરાજમાન ૧૦૮ અરિહંત પ્રતિમઓનું અને ત્રણ દરવાજાઓ વિગેરેનું પ્રમાણ પહેલાં જેમ કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે સમજી લેવું. [૧૯૨-૧૯૩] સુદર્શના અમોઘા સુપ્રબુદ્ધા યશોધરા વિદેહજંબૂ સૌમનસ્યા નિયતા નિત્યમંડિતા સુભદ્રા વિશાલા સુજાતા સુમનીતિકા આ પ્રમાણે આ જ જંબૂસુ દર્શનાના બાર નામો કહ્યા છે. [૧૯૪] હે ભગવન્ ! આપ એવું શા કારણથી કહો છો કે આ જંબૂસુદર્શના છે ? હે ગૌતમ ! જંબૂસુદર્શના ૫૨ જંબુદ્રીપના અધિપતિ જે મહર્દિક વિગેરે વિશેષણોવા અનાવૃત નામના દેવ છે. તે નિવાસ કરે છે. તેની સ્થિતિ એક પલ્યોપમની છે. તે ત્યાં ૪૦૦૦ સામાનિક દેવોનું ચાર અગ્રમહિષિયોનું સાત અનીકાધિપતિયોનું ૧૬૦૦૦ આત્મરક્ષક દેવોનું અને બીજા પણ અનેક વાનવ્યન્તર દેવોનું અને દેવિયોનું તથા જમ્મૂદ્વીપનું જમ્મૂસુદર્શનાનું અને અનાવૃતા રાજધાનીનું અધિપતિપણું કરતા સુખ પૂર્વક ત્યાં નિવાસ કરે છે. હે ભગવન્ ! અનાવૃતદેવની અનાવૃતા રાજધાની ક્યાં આવેલ છે ? હે ગૌતમ ! વિજયા રાજધાનીના કથન પ્રમાણેનું જ સઘળું કથન આ અનાવૃત રાજ ધાનીનું છે. હે ગૌતમ ! તેની આગળ જંબુદ્રીપમાં અનેક સ્થળોએ અનેક જંબૂવૃક્ષો અને જંબૂવર્ણવાળા છે. જંબૂવનખંડ સર્વદા કુસુમિત રહે છે. યાવત્ પોતાની સુંદરતાથી સુશો ભિત રહે છે. તે કારણથી હું ગૌતમ ! જંબુદ્રીપનું જંબુદ્રીપ એવું જ નામ કહેલ છે. અથવા હે ગૌતમ આ દ્વીપનું જંબુદ્રીપ એવું જે નામ છે, તે શાશ્વત છે-કોઇપણ કારણને ઉદ્દેશીને નહીં તે નામથી આ નામ પહેલાં ક્યારેક ન હતું તેમ નથી. વર્તમાનમાં પણ તે નામ નથી તેમ નથી. તથા ભવિષ્યમાં પણ આ નામ હશે નહીં તેમ પણ નથી. તેથી આ જંબુદ્રીપ શાશ્રુતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy