SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ને કોઈ પણ સાધના જ્યારે અનાયાસસાધ્ય 'બને છે, ત્યારે તે સહજ બને છે. સહજ ‘સાધના પૂર્ણપણે પ્રાકૃતિક હોય છે. વિભાવો અને વિકૃતિઓથી મુક્ત હોય છે. જાપ તો એક 'ઉપલક્ષણ છે. સમગ્ર સાધના અનાયાસસાધ્ય બને 'એવો અભ્યાસ કરવો જોઈએ. એવું શક્ય બને છે (સમ્યક સાતત્યથી. આ જ સાતત્યનું ચરમ અને પરમ પરિણામ છે પરમપદની પ્રાપ્તિ. आनंदघन चेतनमय मूरति नाथ निरंजन पावे જેમાં આનંદમાત્રની અસ્મિતા છે, અને દુઃખમાત્રની નાસ્તિતા છે, એનું નામ આનંદઘન. એ જ ચૈતન્યમય મૂર્તિ છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપ 'છે. તથા એ જ નિરંજન નાથ છે, અર્થાત્ સર્વ 'વિભાવોથી નિર્લેપ છે. આ નાથની પ્રાપ્તિ એટલે જ સ્વસ્વરૂપનું પ્રાગટ્ય. આત્મજાગૃતિથીમાંડીને આત્મસ્વરૂપ પ્રાકટ્ય સુધીની આ આત્માનુભૂતિ-યાત્રા છે. આના પ્રત્યેક પાસાઓને આંતરપ્રેક્ષાથી પિછાણીએ, એના પ્રત્યેક 'સોપાનો પર અધ્યારોહણ કરીએ... પરમપદ આપણું ઉમળકાસભર અભિવાદન કરવા માટે ક્યારનું ય ઉત્સુક છે. જેઠ સુદ ૬ વિ.સં.૨૦૬૭ 'જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005048
Book TitleAnandghan ni Atmanubhuti 07
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy