________________
છે મારો ‘આત્મા’. જીવ ગામમાં રહે કે જંગલમાં રહે, એ બાલપરિભાષા છે. વિબુદ્ધ-પરિભાષા તો એ તમામ સરનામાઓને ઓળંગી જાય છે.
रहे छूटो इकठोर
સમાધિ તંત્રમાં આ જ પરિભાષાને સ્પષ્ટ કરી છે – ग्रामोऽरण्यमिति द्वेधा, निवासोऽनात्मदर्शिनाम् । दृष्टात्मनां निवासस्तु, विविक्तात्मैव निश्चलः ।।
ગામ અને વન. આ રીતે બે પ્રકારના નિવાસ હોય છે, આ તેમની માન્યતા છે કે જેમણે આત્માને જોયો નથી. આત્મદૃષ્ટાઓને મન તો એક જ નિવાસ હોય છે - શુદ્ધ નિશ્ચલ આત્મા. તેઓ આત્મામાં જ વસે છે, અને આત્મામાં જ રમણ કરે છે.
रहे छूटो इक ठोर
જે આશાએ આપણને અનાદિકાળથી દોડાવ્યા છે... હંફાવ્યા છે... હત પ્રહત કરી દીધા છે... એ જ આશાને પુષ્ટ કરવાની મૂર્ખતા આપણે કરશું? આ અવસર તો એક સ્થાને ઠરવા માટે છે, કે જ્યાં કર્યા પછી બીજે ક્યાંય ફરવાની - ભટકવાની કોઇ જ આવશ્યકતા નથી. એક વાર આ પરિસ્થિતિની પ્રતીતિ થઇ જાય, અજ્ઞાનનિદ્રાનો અંત આવે, આત્માનુભૂતિનું સુવર્ણપ્રભાત થાય, એટલે આત્મા કૃતાર્થ બને, આ જ લક્ષ્ય સાથે પદકાર પદનો પ્રારંભ કરી રહ્યા છે...
U BA
se Only
www.jalnelllbrary.org