SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તે સ્વામી કેવા છે ? શુદ્ધ પંચ મહાવ્રતના પાલણહાર છે, પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએ સહિત, છકાયના પિયર, છકાયના નાથ, સાત ભયના ટાલણહાર, આઠ મદના ગાલણહાર, નવ વાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલણહાર, દશ વિધ યતિ ધર્મના અજવાલિક, બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, બાવીસ પરિષદના જિતણહાર, સત્તાવીસ સાધુજીના ગુણે કરી સહિત, ૪૨-૪૭૯૬ દોષરહિત આહાર પાણીના લેવણહાર, બાવન અનાચારના ટાલણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી, કંચન-કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, સમતાના સાગર, દયાના આગર આદિ અનેક ગુણે કરી સહિત છે. ધન્ય મહારાજ ! આપશ્રી ગામ, નગર, રાયપાણી પુર, પાટણને વિશે બિરાજો છો, હું અપરાધી, દીન, કિંકર, ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિશે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું. (વિધિ : “વંદામિ નમંસામિ સક્કારેમિ સમ્મામિ કલ્યાણ મંગલ દેવયં ચેઇયં પજ્વાસામિ' - આ પાઠ ત્રણ વાર બોલવો.) ( પાઠ ૩૨ : પાંચમા ખામણા ) (સાધુ-સાધ્વીજીઓને) પાંચમા ખામણા પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ; એ અઢીદ્વીપ ક્ષેત્રને વિશે બિરાજતાં સાધુ-સાધ્વીજીઓને કરું છું. તેઓ જઘન્ય હોય તો બે હજાર ક્રોડ અને ઉત્કૃષ્ટ હોય, FE બ્રહ્મચર્ય અમરત્વની સાધના છે. E-1 59] Iધના અમરત્વ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005029
Book TitleChalo Pratikraman Karie
Original Sutra AuthorN/A
AuthorDhirajmuni
PublisherP M Foundation
Publication Year2011
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy