SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ MKURU CR E RE RE RERERER ર KREDERERE DEDEDEDERER ચાલો પ્રતિક્રમણ કરીએ... જિજ્ઞાસુનો પ્રશ્ન - સંસારમાં મોહ-માયાની જાળમાં ફસાયેલા અમે... અમારા માટે મોક્ષ જવાનો કોઈ ચાન્સ ખરો? ગુરુદેવનો ઉત્તર - શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્રમાં તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધવાના ૨૦ બોલ બતાવેલ છે. તેમાં ૧૧માં બોલમાં ઉભયકાળ ભાવપૂર્વક પ્રતિક્રમણ કરતાં રહેવાથી જિનનામકર્મ બંધાય છે. જેનાથી તેનો વહેલો મોક્ષ થઈ શકે છે. તેમાંયે સંસારમાં રહેતાં પાપની ક્રિયા કરવી પડે છે. અજ્ઞાની જીવ હોંશથી કરે અને સમજુ - જાણકાર સભ્યષ્ટિ જીવ ઉદાસીનતાથી કરે પણ આ પાપને ધોવાનો રસ્તો છે પ્રતિક્રમણ.’ ઉભયકાળ (દેવસિય-રાઇય) પ્રતિક્રમણ કરવાથી જીવ ભાવિનો ભગવાન બને છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ બતાવેલ છે કે, પ્રતિક્રમણ કરવાથી લાગેલાં દોષોની શુદ્ધિ થાય છે. પરસ્થાનમાં ગયેલાં આત્માને સ્વસ્થાનમાં સ્થિર બનાવે તે અમૃતક્રિયાનું નામ છે “પ્રતિક્રમણ”, જૈનધર્મનાં બત્રીસ આગમમાં ૩૨મું શાસ્ત્ર “આવશ્યક સૂત્ર” છે. જેનું બીજું નામ છે “પ્રતિક્રમણ’’. આપના કરકમલમાં પ્રસ્તુત છે ગોંડલ સંપ્રદાયના બા.બ્ર. પૂ.ગુરુદેવ શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબ સંપાદિત મોટા અક્ષરોવાળું - આંખે ઉડીને વળગે તેવા સુઘડ, સુવાચ્ય, સુંદર અક્ષરો તથા દિમાગમાં સીધા કોતરાઈ જાય તેવું વિધિ સહિત ‘સામાયિકપ્રતિક્રમણ સૂત્ર’’ આજ સુધી પ્રતિક્રમણ કંઠસ્થ ન કર્યું હોય તો યે નિરાશ ન થતાં... “GAME IS NOT LOST STILL THERE IS ONE' બસ... આ પુસ્તક લઈને બેસી જાઓ. માત્ર પાઠ બોલતાં જાઓ અને પ્રતિક્રમણ થઈ જશે. પી. એમ. ફાઉન્ડેશન EKAKAKAષ ચાલો પ્રતિક્રમણ કરીએ:KVKVKVAS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005029
Book TitleChalo Pratikraman Karie
Original Sutra AuthorN/A
AuthorDhirajmuni
PublisherP M Foundation
Publication Year2011
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy