________________
હતી. ત્યહાં વિજયપ્રભસરિનાં પણ હેને દર્શન થયાં હતાં. વિ
જ્યપ્રભસૂરિની દેશનાથી હીરાદેને વૈરાગ્ય થયે હતું, અને તેથી મ્હણે પિતાના ત્રણે પુત્ર સાથે દીક્ષા લીધી હતી. પુત્રનાં નામ અનુકેમે જ્ઞાનવિજય, વિમલવિજય અને જીતવિજય રાખવામાં આવ્યાં હતાં. આ જીતવિજયજીને, સં. ૧૭૩૨ ના માઘ વદિ ૬ રવિવારના દિવસે નાગરમાં મૂણોત મેહનદાસે બાર હજાર રૂપિયા ખરચીને કરેલા ઉત્સવ પૂર્વક આચાર્ય પદવી આપી, પાટે સ્થાપન કરવામાં આવ્યા હતા, અને તેઓનું નામ વિજયરત્નસૂરિ સ્થાપ્યું હતું.
આચાર્ય વિજ્યરત્નસૂરિએ માળવા, મેવાડ, મારવાડ, ગુજસત, વાગડ અને ગેડવાડમાં ઘણે વિહાર કર્યો હતે. તેઓ રાજ દરબારમાં પણ સારૂ માન પામ્યા હતા. અમદાવાદમાં દિલીપતિ શહેનશાહ ઔરંગજેબને પુત્ર આજમ હેમને મળ્યો હતો, સૂરિજીએ ધર્મોપદેશ આપતાં કુરાનમાંથી જીવદયાને સિદ્ધાન્ત બતાવી આપે હતે. વાગડના રાઉલ ખુમાણસિંહજીની સભામાં જીત મેળવીને અને અષ્ટાવધાન સાધીને રાઉલની સારી પ્રસન્નતા મેળવી હતી. રાજનગરના આજમખાને હેમને સારું માન આપ્યું હતું. ચિત્તોડના રાણા અમરસિંહને પ્રતિબધી દુમ્માલો કર મુકાવ્યું હતું, તળાવની પાળ બંધ કરાવી હતી અને ચીડીમાને ચીડીયાં મારતા દૂર કરાવ્યા હતા. જોધપુરના રાજા અજિતસિંહને ઉપદેશ આપી, મેડતાના ઉપાશ્રયને મુસલમાનોએ મસજીદ બનાવ્યું હતું, તે પાછો લીધું હતું. રાણા સં. ગ્રામસિંહે પોતાના મહેલમાં પધરાવી વીરજન્મનું વ્યાખ્યાન સાંભળ્યું હતું, જહારે તેઓ ઉદયપુરમાં આવ્યા; હારે રાણાના પચાસ હાથી અને ત્રણ ઘડેરવાર હેમની રિહામે સામૈયામાં આવ્યા હતા. આજ ઉદયપુરમાં મૂતા હરજી, મહેતા કલ્યાણદાસ, નાનજી, ભાણજી વિગેરેની સમ્મતિપૂર્વક હેમણે સં. ૧૭૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org