SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) પૂર્ણિમાનો ચંદ્ર " છઠ્ઠા સ્વપ્નમાં જોવાયેલો ચંદ્ર અતિશય ઉજ્વળ કાંતિવાળો છે . સૌમ્ય હોવાથી સુખેથી જોઈ શકાય એવો ને શીતળતા આપનારો છે . એનું દર્શન લોકોના હૃદય અને નેત્રોને પ્રિય લાગે એવું છે . એ સોળેય કળાએ ખીલી ઊઠેલો પૂનમનો ચંદ્ર છે. એનું બિબ વિશાળ છે અને પૂરેપૂરું ગોળ છે. પોતાના ઝળહળતા પ્રકાશ વડે ગાઢ અંધકારને પણ ભેદી નાખે ને ભગાડી. મૂકે એવો તેજસ્વી છે. સૂર્યના તાપથી બિડાઈ ગયેલાં કમળોને પોતાનાં સૌમ્ય કિરણો વડે ફરીથી વિકસ્વર કરી દેનારો છે. કાજળ જેવી કાળી રાત્રિને પ્રકાશથી ભરી દઈને સુશોભિત બનાવી દેનારો છે. અરીસા(દર્પણ)ની સપાટી જેવો તેજસ્વી છે. હંસ જેવો ઉજ્વળ છે. ગ્રહ, નક્ષત્રો ને તારાઓનો અગ્રેસર છે. અંધકારનો શત્રુ છે . સમુદ્રમાં પાણીની ભરતી લાવનારો છે. સુંદર આકૃતિવાળો છે. સોળે કળાએ ખીલેલો હોવાથી આકાશને શોભાવનારો છે. આકાશના હાલતા-ચાલતા તિલક જેવો છે. વિશેષ નોંધ : સ્વપ્નમાં જોવામાં આવતો ચંદ્ર બીજનો નહિ, પણ સોળે કળાએ ખીલેલો પૂર્ણિમાનો હોય છે અને એનું ફળ વિશિષ્ટ હોય છે. આ વાત ખાસ નોંધપાત્રો છે . સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં પૂર્ણિમાના ચંદ્રને જોયેલો હોવાથી અરિહંત આખી પૃથ્વીને ચંદ્રની જેમ આનંદ આપનારા થાય છે. | આશાતનાથી બચો ! ઘરમાં દેવ-ગુરુની પ્રતિમા અને ફોટા જ્યાં ખાવા-પીવા આદિની પ્રવૃત્તિ ન થતી હોય ત્યાં જ રાખવા જોઈએ. એવી જગ્યાના અભાવે પ્રતિમા અને ફોટા રાખવા હોય તો તેની આડે સુયોગ્ય રીતે સુંદર પડદા આદિની વ્યવસ્થા કરવી જોઈએ . જયાં ધૂમ્રપાન તથા કામાદિની અશિષ્ટ ચેષ્ટાઓ વગેરે થતું હોય ત્યાં દેવ-ગુરુની પ્રતિમા અને ફોટા તથા માબાપના ફોટા પણ ઉઘાડી તો ન જ રખાય. આડો પડદો રાખવાથી દેવગુરુની આશાતનાથી બચી જવાય છે. તેમના પ્રત્યેનો તેમજ માબાપ આદિ ઘરના વડીલો પ્રત્યેનો આદરભાવ ને મર્યાદા જળવાય છે. (૧૭) - Jain Education International For Private & Personal use only www.ainenbrary.org
SR No.005026
Book TitleChaud Mahaswapna Chitravali
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2003
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy