________________
હિમાલયની પદ યાત્રા-૨૫
મોટરો ચાલે છે, જેથી સાંકડી સડકમાં બે મોટરો અથડાઈ ન પડે.
વળી રસ્તામાં ભેખડો ધસી આવવાના કારણે, તથા વરસાદના પાણીથી તથા પર્વતમાંથી આવતા પાણીના પ્રવાહોથી સડકો એટલી બધી જગ્યાએ ધોવાઈ જાય છે કે વારંવાર રસ્તાઓ બંધ થઈ જાય છે. જવા-આવવાના સમયનું અહીં ધાર્યું રહે જ નહિ. અમારા પાસે આવનારાઓને પણ આવા વારંવાર અનુભવો થયા જ કરે છે.
જ્યાં ભેખડ ધસી પડી હોય ત્યાં પહાડ ઉપર ચડીને બીજા કેટલાક રસ્તા ત્યાંના માણસો કાઢે છે, પણ એમાં યે આવનારને ઘણું કષ્ટ પડે છે. લાંબા ગઢ પાસે તો આવા અનુભવો વારંવાર થયા જ કરે છે. રસ્તાને સુધારવા માટે સરકારે ઘણા માણસો રાખ્યા છે, લશ્કરી ધોરણે એ લોકો કામ પણ કરે છે, છતાં કુદરત આગળ એ પણ લાચાર બની જાય છે. ભર ઉનાળામાં પણ વરસાદ અવારનવાર આવતો હોય છે. ધુમ્મસ પણ ગાઢ રીતે છવાઈ જાય છે. મકાનમાં બેસી રહેવામાં જ ઘણીવાર સલામતી લાગે છે.
વળી આ બદરીનાથ સ્થાન લગભગ અગિયાર હજાર ફૂટની ઉંચાઈએ હોવાથી અહીં હવા બહુ પાતળી રહે છે, તેથી ઓક્સીજન ઓછો હોવાથી શ્વાસ લેવામાં ઘણાને કેટલીક મુશ્કેલી પડે છે. શ્વાસના જે દર્દીઓ હોય તે તો એક-બે દિવસમાં જ કંટાળી જાય છે-મુંઝાઈ જાય છે.
અહીં આવનારે એક ખાસ ખ્યાલ રાખવાનો છે હવા ઠંડી,
૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org