________________
પોષધ વિધિ
ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ છે. આ શ્રાવકનું ૧૧ મું વ્રત છે. પર્વ દિવસોમાં ચાર કે આઠ પ્રહરનો પૌષધ કરવાનો ઉપદેશ છે. પૌષધ ચાર પ્રકારના છે. ૧) આહાર પૌષધ : ઉપવાસાદિ તપ. ૨) શરીર સત્કાર પૌષધ : સ્નાન-વિભુષાદિનો ત્યાગ ૩) બ્રહ્મચર્ય પૌષધ : શીલનું પાલન ૪) અવ્યાપાર પૌષધ : સાવધ વ્યાપારનો ત્યાગ
(પૌષધની વિધિનો ક્રમ ૧ સૂર્યોદય પહેલા પૌષધ લઈ રાઈ પ્રતિક્રમણ ૨ સૂર્યોદય સુધી પડિલેહણ વિધિ 3 દેવવંદન અને સઝાય ૪ રાઈ મુહપત્તિ ૫ દેરાસરમાં ચૈત્યવંદના ૬ બહુ પવિપુણા પોરિસી (લગભગ સવારે ૯ વાગે) ૭ પ્રવચન સાંભળવું અથવા સ્વાધ્યાય કરવો. ૮ બપોરનું દેવવંદન (ચોમાસામાં કાજો લઈને દેવવંદન કરવું) ૯ પચ્ચકખાણ પારવું ૧૦ આહાર વિધિ ૧૧ વાપર્યા પછી ચૈત્યવંદના
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org