SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ REACTURASA અણ UK:B ન હોય તેના દેખતાં વાપરવાનું નહિ હોવાથી કે તેવી વ્યક્તિને આહારાદિ પણ દેખાડવાના ન હોવાથી શ્રાવકને પણ એકાસણું આદિ કરતાં માંગણ કે નજર લાગે તેવી વ્યક્તિ આવી ચડે ત્યારે સામાન્યતઃ તેને સંતોષીને દૂર કરવી, પણ જો તે ન જ ખસે તો સ્થાનાન્તર કરવાની છૂટ આ આગારથી તેને પણ મળે છે. માટે આ આગાર સ્થાન સંબંધી છે. આનાથી એ સૂચિત થાય છે કે પચ્ચક્ખાણમાં એક જ સ્થાનમાં બેસીને વાપરવાનું હોવા છતાં સ્થાનાન્તર કરવું તે એટલું નુકસાનકારક' અને નિંદ્ય નથી કે જેટલું સાધુએ ગૃહસ્થની હાજરીમાં અને સામાન્ય ગૃહસ્થે માંગણ કે નજર લાગે તેવી વ્યક્તિની હાજરીમાં ભોજન કરવું નિંદ્ય અને નુકસાનકારક છે. (૧૪) આઉંટણપસારેણં : આકુંચન-પ્રસારણ. અર્થાત્ હાથપગ ટૂંકા કરવા-સંકોચવા, લાંબા-પહોળા કરવા-પ્રસારવા. આસન શબ્દ બે અર્થમાં વપરાય છે. તેમાં (૧) પુતાના ભાગમાંથી હાલવું નહિ-ખસવું નહિ આ સ્થૂલ અર્થ છે. (૨) ધ્યાનમાં કરવામાં આવે છે તેવું સ્થિર આસન. આમાં હાથ પગ વગેરે કંઇ હલાવવાનું હોતું નથી. પ્રસ્તુત વિષયમાં ભોજનક્રિયા હોવાથી હાથ અને મોં એ બે તો હાલવાના જ. પરંતુ એકલઠાણામાં આ આગાર ન હોવાથી બીજા અંગો હલાવવાનો નિષેધ કર્યો છે. તેથી જણાય છે કે જે પચ્ચક્ખાણમાં આ આગાર છે તે એકાસણા વગેરેમાં આસન હોવાથી સામાન્યતઃ સ્થિરતા જરૂરી હોવા છતાં આ આગારથી હાથ-પગ લાંબા ટૂંકા કરવા-ગરદન ફેરવવી વગેરે રુપ શરીરનું હલનચલન કરાય. ફક્ત જેના આધારે બેઠા છીએ તે પુતા જો સ્થુલરુપે ચલાયમાન થાય તો ભંગ થાય એમ વ્યવહારથી સમજવું. બાકી સ્થિર ન રહી શકનાર બાળક કે રોગી માટે તે પણ ભંગરૂપ નથી પણ આગારનો વિષય છે. અનાભોગથી એક પગ એવી રીતે ઊભો કર્યો કે એક પુતા ઉઠી ગઇ. એમ પછી અનાભોગથી બીજો પગ ઊંચો કર્યો ત્યારે બીજી પુતા Jain Education International ૭૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy