SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Kirtid પ્રશ્ન-૧૫. અલ્પલેપવાળી વસ્તુ માટેના ત્રણ આગારો લેવાલેવેણં, ગિહત્થસંસટ્ટેણું અને ઉક્તિતવિવેગેણં આયંબિલમાં છે, તો, પડુચ્ચમક્ખિઅ=પ્રતીત્યપ્રક્ષિત વસ્તુ પણ અલ્પ લેપવાળી હોવાથી પડુચ્ચમòિએણે આગાર આયંબિલમાં કેમ નથી ? CRCRCRCRCRCRCR ઉત્તર ઃ ૧૫. પૂર્વે કહેલા ત્રણે આગારોમાં વસ્તુ અલ્પ લેપવાળી હોવા છતાં, વસ્તુને લેપ આદિ કરવાની દૃષ્ટિથી તેવી કરવામાં આવી નથી. જ્યારે પ્રતીત્યપ્રક્ષિત તો ખાસ, કોમળ બનાવવા જ જાણીને ઘીતેલવાળી કરાય છે. તેથી આ આગારમાં તો આભોગપૂર્વક તે તે વસ્તુઓનો પ્રક્ષેપ હોવાથી ઇરાદાપૂર્વક તેવી પોચી બનાવેલી ચીજ આયંબિલમાં ન ખપે. આ આગાર ગૃહસ્થ માટે ખાસ છે. સાધુઓ માટે કુણી રોટલી, પોચા ખાખરા વગેરેના ઉદ્દેશથી મોણવાળું લેવાય તો એ દોષરૂપ છે અને તેથી તે પચ્ચક્ખાણ ભંગરૂપ બને. ફક્ત નિર્દોષ ગોચરીના લક્ષ્યપૂર્વક અશક્ય પરિહાર તરીકે આછા મોણવાળા ખાખરા કે રોટલી આયંબિલમાં તેવો આગાર ન હોવા છતાં અપવાદ તરીકે કલ્પે. * જ્ઞાન, દર્શન, ચારિત્ર વૃદ્ધિ કરનાર માટે આ મહત્તરાગાર ન કહેવાય. (૧૨) પારિઠાવણિયાગારેણં : આ આગાર મુખ્યતયા સાધુઓને આશ્રયિને છે. પાઠ અખંડિત રહે તે માટે ગૃહસ્થને પચ્ચક્ખાણ આપતાં પણ બોલાય છે. ગૃહસ્થને ત્યાંથી વહોરીને લાવેલ આહારાદિ સાધુઓએ ત્રણ પ્રહરથી વધુ રાખવાના હોતા નથી. તેથી વહોરેલ ચીજ અરૂચિ વગેરેના કારણે જો પૂરી કરી ન શકે તો તેનું શું કરવું ? કોણે વા૫૨વી કે કોને વપરાવવી ? જો લાવેલા આહારાદિ નિર્દોષ હોય અને એંઠા થયેલ ન હોય તો, તેવી ચીજ બીજા વાપરનારા ન હોય ત્યારે આયંબિલ અને એકાસણા, Jain Education International ૬૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy