SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ FREDERER REDEREA SAGAGAGAGAGAGAUREATE માંડે તો સાધુ મહારાજને ઘણો વ્યાક્ષેપ થાય. માટે ક્યાંક કોઇ થોભવંદન કરે છે તે અપવાદિક જાણવું. (૩) દીક્ષિત માતાનું દીક્ષિત પુત્ર વંદન ન લે. દીક્ષિત મોટી બહેનનું દીક્ષિત પુત્ર વંદન લઇ શકે. હારિભદ્રીય આવશ્યકમાં આ સંદર્ભમાં ‘ન કારયેત્’ લખ્યું છે. હાલમાં દીક્ષિત પિતા દીક્ષિત પુત્રને વંદન ન કરે. દીક્ષિત મોટાભાઇ દીક્ષિત નાના ભાઇને વંદન ન કરે. દીક્ષિત માતા દીક્ષિત પુત્રને વંદન ન કરે. દીક્ષિત મોટી બહેન દીક્ષિત નાનાભાઇને ઇચ્છા હોય તો વંદન કરે. દીક્ષિત માતા દીક્ષિત પુત્રીને વંદન ન કરે. દીક્ષિત મોટી બહેન દીક્ષિત નાની બહેનને વંદન ન કરે. ‘જિઢભાયા’ શબ્દના ઉપલક્ષણથી મોટી બહેન પણ લેવાય પણ તે ફક્ત સ્ત્રી પક્ષ માટે. એટલે કે નાની બહેન માટે. નાનાભાઇ માટે નહિ. કારણ કે ગર્હા વગેરે જે હેતુ છે તે નાનાભાઇની અપેક્ષાએ થતા નથી. સ્વપક્ષની અપેક્ષાએ થાય છે. (૪) વ્યાક્ષિપ્તતા અને પરાખતા ન હોય તો પ્રશાંતતા આવે. પ્રમત્તતા ન હોય તો ઉપશાન્તતા આવે. આહાર-નિહારની પ્રવૃત્તિ કે ઇચ્છા ન હોય તો આસનસ્થ હોય. આ ચારેય દોષ ન હોય તો ઉપસ્થિત કહેવાય. (૫) મુહપત્તિના ત્રણ વળને ૪ આંગળીના ૩ આંતરામાં ભરાવી નીચે ઝુલતાં રાખવાં તે ૩ વટક કહેવાય. (૬) ‘બહુસુભેણ ભે દિવસો વઇક્સંતો ?” પ્રશ્નથી માત્ર ભૂતકાલીન શાતા જ પૂછાય છે. વર્તમાનકાલીન કે ભવિષ્યકાલીન નહિ. કારણ કે વર્તમાનકાળ અલ્પ હોવાથી તેની માત્ર શાતા પૂછવાની ન હોય પણ અલ્પ પીડા વગેરે હોય તો તુરત ઉપચાર પણ કરવાના હોય. (૭) શંકા : ‘દેવ-ગુરુ પસાય' જવાબ આપે તો પૂછનારને આપત્તિ Jain Education International ૩૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004951
Book TitleGuruvandan Pacchakhana
Original Sutra AuthorN/A
AuthorJayghoshsuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy