SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો જેમાં એમ. આર. આઈ.ના મૅગ્નેટ દ્વારા નળીઓની તપાસ થાય છે. તેમાં કોઈ કેથેટર શરીરની નસોમાં નાખવું પડતું નથી. એ રીતે બિનઆક્રમક (નોન-ઇન્વેઝિવ) ટેસ્ટ કહેવાય. કોરોનરી એન્જિઓગ્રાફી માટે હંમેશાં કેથેટર કોઈ નળીમાં નાખવું પડે અને તેનું થોડું જોખમ પણ હોય છે. આમાં એવું નથી. આ રીતે કરેલા ટેસ્ટમાં ૯૦થી ૯૫ % જેટલી ખાતરી કરી શકાય છે. તેથી તેને સ્ક્રિનિંગ ટેસ્ટ તરીકે વાપરી શકાય. સૌથી વધુ ખાતરીથી નિર્ણયભર્યો ટેસ્ટ તો કન્વેન્શનલ ફોર-વેસલ ઍન્જિઓગ્રાફી અથવા ડિજિટલ સબસ્ટ્રેક્શન ઍન્જિઓગ્રાફી (USA) કહી શકાય. સી.ટી. એન્જિઓગ્રાફી એક નવી પદ્ધતિ છે જેમાં ૪ મિ.મી.થી વધારે કદના ફુગ્ગાઓને (Aneurysm) DNA જેટલી ક્ષમતાથી જોઈ શકાય છે. ઍન્જિઓગ્રાફીમાં એન્યુરિઝમ (ફુગ્ગો) હોય તો તરત દેખાય છે. આવા ૧૫ ટકા કેસોમાં એકથી વધુ એન્યુરિઝમ હોય છે; તેથી હંમેશાં મગજની ચારેય નળીની ઍન્જિઓગ્રાફી કરવી જોઈએ, જેથી ઑપરેશનની જરૂર આવી પડે તો બધા એન્યુરિઝમને લક્ષ્યમાં લઈ ટ્રીટમેન્ટ કરવી સરળ પડે. *એવી માલફોર્મેશન (નસો ગૂંચળું) ઍન્જિઓગ્રાફીમાં આ સિવાય લોહીની નળીનું ગૂંચળું પણ હોય તો દેખાય છે જેને આર્ટરીઓ-વીનસ માલફોર્મેશન (એ-વી માલફૉર્મેશન) કહે છે. આવા દર્દીઓમાં પૂર્વે માથું દુઃખતું હોવાની માહિતી - વિગત મળે છે, ક્યારેક ખેંચ આવી હોય છે, કેટલાકને પહેલેથી એક અંગનો લકવો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy