SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ મગજ અને જ્ઞાનતંતુના રોગો - બ્રેઈન ઈશ્ચમીઆની પરિસ્થિતિમાં મગજના કોષોને બે રીતે ક્ષતિ થઈ શકે છે. એક તો લોહીની સ્નિગ્ધતા વધવાથી લોહીનો ગઠ્ઠો થઈ જાય છે (થ્રોમ્બોસિસ). બીજું લોહીનો ગઠ્ઠો હૃદયમાંથી કે અન્ય સ્થળેથી રુધિરમાં પ્રવાહિત થઈ મગજની અન્ય ધમનીમાં (Artery) અટકી જઈ લોહીનું પરિભ્રમણ અટકાવે છે જેને એમ્બોલિઝમ કહે છે. આશરે ૨૦ ટકા કેસોમાં મગજની નળી બ્લડપ્રેશર વધી જવાથી કે અન્ય કારણે ફાટવાથી પણ લકવો થાય છે જેને બ્રેઈન હેમરેજ કહે છે. લકવા જેવાં જ લક્ષણો બીજા કયા રોગોમાં થઈ શકે? : મગજનો ચેપ, બ્રેઈન ટ્યૂમર, પરુની ગાંઠ, મલ્ટિપલ સ્કુલેરોસિસ, હિસ્ટીરિયા, માથાની ઈજા વગેરેમાં એક બાજુ કે બંને બાજુનો લકવો થઈ શકે પરંતુ તે આ પક્ષાઘાત કરતાં જુદો હોય છે અને તે અન્ય લક્ષણો પરથી પરખાઈ શકે છે. ૦ લકવો થવા અંગેનાં જવાબદાર જોખમી પરિબળો : (૧) વધુ પડતું લોહીનું દબાણ એટલે કે હાઈ બ્લડપ્રેશર (ર) મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ (૩) લોહીમાં ચરબીનું અસંતુલિત પ્રમાણ (dyslipidemia) (૪) વધારે વજન (ઓબેસિટી) (૫) ધૂમ્રપાન, તમાકુ અથવા દારૂનું સેવન (૯) હૃદયરોગ (HD), વાલ્વના રોગો અથવા અનિયમિત નાડી દા.ત. Atrial Fibrillation (AF) (૭) જૂનો લકવો અથવા ટી.આઈ.એ. (૮) ગર્ભનિરોધક ગોળીઓનું સેવન (૯) સંઘર્ષપૂર્ણ જીવનપદ્ધતિ, તનાવ-સ્ટ્રેસ, બેઠાડુ જીવન અને કસરતનો અભાવ (૧૦) વારસાગત - જિનેટિક - કારણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy