SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મગજ અને જ્ઞાનતંતુના રોગો આટલું જરૂર જાણો મનુષ્યના મગજમાં લગભગ ૧૦૦ અબજ ચેતાઓનું નેટવર્ક હોય છે. મગજનું વજન ૧૨૦૦ થી ૧૪૦૦ ગ્રામ હોય છે અને... એવું માનવામાં આવે છે કે, સામાન્ય મનુષ્ય મગજનો ૩થી ૧૦ ટકા જેટલો જ ઉપયોગ કરે છે. મગજમાં મોટું મગજ (cerebrum), નાનું મગજ (cerebellum) અને બ્રેઈન સ્ટેમ (Brain stem) એમ ત્રણ મુખ્ય ભાગ છે. અને ૧૨ ચેતાઓ મગજની બંને બાજુથી નીકળે છે. ડાબી બાજુનું મગજ શરીરની જમણી બાજુનાં અંગોનું સંચાલન કરે છે અને જમણી બાજુનું મગજ શરીરની ડાબી બાજુનાં અંગોનું સંચાલન કરે છે. જો મગજમાં લોહી અને ઑક્સિજનનું પરિભ્રમણ પાંચ મિનિટ કરતાં વધુ સમય માટે રોકાઈ જાય અથવા સંપૂર્ણપણે બંધ થઈ જાય તો મનુષ્યનું મૃત્યુ થઈ શકે છે. ♦ મગજની નીચેના ભાગમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિ શરીરનાં બધાં અંતઃસ્ત્રાવોનું નિયમન કરે છે. મગજના ચેતાકોષોમાંથી એક પ્રકારનો લયબદ્ધ વિદ્યુતાપ્રવાહ નીકળે છે. જેનો અભ્યાસ ઈ.ઈ.જી. (EEG) નામના ટેસ્ટ દ્વારા થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy