SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ દવાખાનામાં દાખલ કરેલ દર્દી અંગે જરૂરી સૂચનો ૨૮૧ (૫) જ્યારે જ્યારે પ્રવાહી આપવાનું હોય ત્યારે સૌ પ્રથમ સિરિંજથી પેટમાંથી ટ્યૂબ વાટે પ્રવાહી પાછું ખેંચી ખાતરી કરી લેવી. જો પ્રવાહી ૫૦ મિલિથી વધુ નીકળે તો તે વખતે ફીડિંગ આપી ન શકાય. કલાક પછી ફરીથી તે પ્રમાણે ખાતરી કરી લીધા બાદ જ ફીડિંગ આપવું. પાછું ખેંચેલ પ્રવાહી લોહીના રંગનું કે કૉફીના રંગનું હોય તો તરત જ ડૉક્ટરનું ધ્યાન ખેંચવું જોઈએ. (૬) કોઈ પણ પ્રવાહી આપ્યા બાદ ટ્યૂબમાં ૧૦-૧૫ મિલિ જેટલું પાણી નાખીને તેને એકદમ સાફ કરવી. (૭) ટ્યૂબને દર પંદર દિવસે બદલવી જરૂરી છે. (૮) કોઈ કારણથી ટ્યૂબની પોઝિશન ખસી જાય કે ટ્યૂબ થોડી બહાર આવી જાય તો તેને જ ફરીથી પાછી ન નાંખતાં ટ્યૂબ બદલીને બીજી નાંખવી જોઈએ. ન (૯) જો દર્દી લાંબો સમય બેહોશ કે અર્ધજાગ્રત રહે તો નાક વાટે ટ્યૂબ ફીડિંગ આપવામાં કેટલાંક જોખમો વધે છે. ખાસ કરીને ફેફસાંનો ન્યુમોનિયા થાય છે જેને એસ્પિરેશન ન્યુમોનિયા કહે છે. બેભાન દર્દીના મૃત્યુ થવાનાં અગત્યનાં પાંચ કારણોમાં મુખ્ય એ આ પ્રકારનો ન્યુમોનિયા છે. તેને અટકાવવા નાકની ટ્યૂબ કાઢી નાંખી, ગૅસ્ટ્રોસ્ટ્રૉમી ટ્યૂબથી ફીડિંગ આપવું. આમાં પેટની ચામડી પર ટનલ બનાવી, ખાસ પ્રકારની લાંબો સમય (મહિનાઓ સુધી) ચાલે તેવી ટ્યૂબ મૂકવામાં આવે છે. સામાન્ય રીતે ૧થી ૨ અઠવાડિયાંથી વિશેષ સમય સુધી દર્દી બેહોશ,રહે તો આ પ્રકારે ગૅસ્ટ્રોસ્ટૉમી ટ્યૂબ (પેગ) મુકાવવાથી જોખમો નિવારીને જિંદગી બચાવી શકાય છે. (૪) પેશાબ કરાવવાની ટ્યૂબ - કેથેટર (Urinary Catheter) (૧) દર્દીને ચોવીસ કલાકમાં કેટલો પેશાબ થાય છે તેનું ધ્યાન રાખવું અને નોંધ કરીને તે ડૉક્ટરને બતાવવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy