________________
૨૦૦
મગજ અને જ્ઞાનતંતુના રોગો (૧) રોગનો હુમલો ઊથલો આવે ત્યારે તરત જ સ્ટિરૉઇડ્ઝ ખાસ કરીને મિથાઇલ પ્રેડૂનિસોલોનકે એસીટીએચ(A.C.T.H.) અને પ્રેનિોલોન નામની દવા ઉપયોગમાં લેવામાં આવે છે. (૨) જ્યારે ધીમે ધીમે વધતો જતો રોગ કાયમી બને ત્યારે મેથોક્ષેટ અથવા એઝાથાયોપ્રીન વગેરે દવાઓ વાપરવામાં આવે છે. પણ આ બહુ ઉપયોગી સાબિત નથી થઈ. (૩) ઇન્ટરફેરોન B1b, (બીટા સેરોન)- ઇન્ટરફેરોન B1a (બીટા એવોનેક્ષM, રેબીફ SIC), કોપેક્ષોન (ગ્લેટિરામર) અથવા કૉપૉલિમર (Copolymer) જેવી દવાઓ હુમલો આવતો અટકાવવા માટે ઉપયોગી છે. આ દવાઓ સારવાર માટેની મૂળભૂત દવાઓ કહી શકાય. આ દવાઓ ખાસ્સી મોંઘી હોય છે અને નિષ્ણાત ડૉક્ટરની દેખરેખ હેઠળ જ આપવામાં આવે
છે.
(૪) Mitoxantrone તથા Natalizumab દવા પણ વારંવાર હુમલો થતો હોય તેવા દર્દીઓ માટે અસરકારક છે. (૫) નવાં સંશોધનો મુજબ કેટલાક કિસ્સામાં ગામા-ગ્લોબ્યુલિન નામની મોંઘી દવા અસરકારક સાબિત થઈ છે.
(૬) સ્ટેમસેલ થેરેપીથી ઘણા કેસોમાં સારી સફળતા મળી છે, પણ હજી વધારે સંશોધનની જરૂર છે.
4
(૭) આ ઉપરાંત આ રોગમાં બીજાં ઘણાં લક્ષણો હોય છે. સખત દુખાવો, હાથપગનું કડકપણું અથવા ધ્રુજારી, યાદદાસ્ત ઘટી જવી, ઝાડાપેશાબની તકલીફ, અશક્તિ, થાક, જાતીયજીવનની તકલીફો; હતાશા જેવી માનસિક વ્યથાઓ જેવાં લક્ષણો હોય છે જેની જે તે યોગ્ય સારવાર કરવાની હોય છે.
મલ્ટિપલ સ્કલેરોસિસની સારવારના કેટલાક સિદ્ધાંતો : (૧) જ્યારે રોગનો નવો હુમલો થાય અને તે ભારે પ્રમાણમાં હોય તો સ્ટીરોઈડ્સ (intravenous) આપવું જોઈએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org