SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ મગજમાં થતી ગાંઠો (બ્રેઈન ટ્યુમર) નિદાન: સચોટ નિદાન માટે મોટા ભાગના કેસોમાં, (૧) મગજનો સી.ટી. સ્કેન (કૉન્ટ્રાસ્ટ સાથે) એ પૂરતી તપાસ છે. પણ જો ગાંઠ નાની હોય, મગજના પાછળના ભાગમાં હોય અથવા સી.ટી. સ્કેન દ્વારા તેની ઉપસ્થિતિ તથા પ્રકારની ખબર ન પડી શકે તો મગજનો એમ.આર.આઈ. કરાવી લેવો જોઈએ. (૨) એમઆર.આઈ. (મેગ્નેટિક | રેઝોનન્સ ઈમેજિંગ) નામનો ટેસ્ટ કરાવી ખાતરી કરી શકાય અને કેટલાક કેસમાં તે જરૂરી પણ બને છે. ચોક્કસ નિદાન માટે ક્યારેક સાથેસાથે ઍન્જિયોગ્રાફી કે એમ.આર. સ્પેક્ટ્રોકોપી પણ કરાવવી પડે છે. શરીરમાં પેસમેકર હોય, ધાતુ-મેટલનું કોઈ ઈમ્પ્લાન્ટ હોય તો 1 ગ્લાસોમા કેન્સરની ગાંઠ એમ.આર.આઈ. કરી શકાય નહિ અને તેવા સંજોગોમાં સી.ટી. સ્કેનથી જ ચલાવવું પડે. તો વળી કેટલાક દર્દીઓને એમ.આર.આઈ.ની કૅબિનમાં ૨૦થી ૩૦ મિનિટ સૂવાનું અત્યંત મુશ્કેલ પડે છે, જેને કલોસ્ટ્રોફોબિઆ કહે છે. આવા સંજોગોમાં અથવા તો નાનાં બાળકોને ક્યારેક ઘેનની દવા કે હળવો એનેસ્થેસિયા આપીને આવા ફોટા પાડવામાં આવે છે. (૩) લંબર પંક્યર : મગજમાં સોજો વધારે હોય તો આ તપાસ હાનિકારક બની શકે છે. બ્રેઈન ટ્યુમરના T મૈનિજિઓમા: સાદી ગાંઠ For Private & Personalberom www instars.org Jain Education International
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy