SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ (૪) અતિનિદ્રા ઃ દિવસની નિદ્રા સહિત જરૂરતથી વધારે ઉંઘ આવવી, જેનાં કારણો નીચે મુજબના છે ઃ (૧) નિદ્રાપદ દવાઓ, ચક્કરની દવાઓ, ડિપ્રેશનની દવાઓ કે પછી નિયમિત કેફી પદાર્થોના સેવનથી. (૨) ગંભીર માંદગી (૩) ઑપરેશન પછી અને એનેસ્થેસીયાની અસર (૪) ડિપ્રેશન-હતાશા (૫) ચયાપચયની ગરબડ, હાઇપોથાઈરોઈડીઝમ, એડીસન ડિસીઝ (૬) મગજનો ચેપી તાવ, વાયરસ; ક્ષારતત્ત્વની ખામી (૭) તંદ્રાવસ્થા (૮) દિવસની અતિનિદ્રા-(Narcolepsy) મગજ અને જ્ઞાનતંતુના રોગો અનિયંત્રિત નિદ્રા : ગ્રીક શબ્દ Narken એટલે કે ઝોકાં ખાવાં, Leptos એટલે કબજો કરવો તેના ઉપરથી રોકી ન શકાય તેવી નિદ્રા કે તંદ્રાવસ્થા તેનાં મુખ્ય ચાર પ્રકાર આ મુજબ છે – દિવસે વધારે સૂવું, કેટાપ્લેક્સી, ઊંઘમાં ક્ષણિક લકવો થવો અને વિચિત્ર સપનાં આવવાં. આ ઉપરાંત રાતની ઊંઘ બગડવી કે અયોગ્ય વ્યવહાર કરવો એ પણ અગત્યનું લક્ષણ છે. ઘણા દર્દીઓમાં આ રોગ આનુવંશિક હોય છે અને જિંદગીભર રહે છે. (૧) દિવસે અતિનિદ્રા (Narcolepsy) : ૧૫થી ૩૫ વર્ષની ઉંમરમાં અતિનિદ્રાનો વિકાર થાય છે. રોકી શકાય નહીં તેવી ઊંધ આવ્યા કરવી. નિદ્રાનો ગાળો ૧૫ મિનિટથી વધારે નથી હોતો અને અવાજ કે સ્પર્શ કરવાથી દર્દી જાગી જાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy