SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા રાષ્ટ્રના કુલ બજેટનો ફક્ત એક ટકા જેટલો ભાગ સ્વાથ્થરક્ષા માટે ફાળવવામાં આવે છે) રોગ આવી પડે ત્યારે ડૉક્ટર પાસે દોડી જઈએ તેના કરતાં રોગ થાય જ નહીં અને થાય તો તેને પ્રારંભિક કક્ષાએ જ ઓળખી લઈને યોગ્ય સારવારથી તેને દૂર કરીએ તેવી સૂઝ સામાન્ય માણસમાં તેમ જ કહેવાતા ભણેલા-ગણેલા માણસમાં કેમ નથી હોતી? તે માટે આપણી કેળવણી સંસ્થાઓ, સમાજ જાગૃતિસંસ્થાઓ પોતાની જવાબદારી બરાબર નિભાવે છે ખરી? સમાચારપત્રો તથા સામયિકો રોગો વિશે વાચકોને માહિતગાર કરવા પ્રયત્ન કરતાં હોય છે પણ ઘણી વાર તેનાં ઊલટાં પરિણામો જોવા મળે છે ! (કોઈ વર્તમાનપત્ર કે સામયિકમાં સ્વાથ્યલક્ષી લેખો માટે નિષ્ણાત તબીબ કાયમી ધોરણે સંપાદક કે સલાહકાર તરીકે નિમાયા હોય તેવું સાંભળ્યું કે જોયું નથી !) આવી પરિસ્થિતિમાં, વિવિધ રોગો વિશેની માહિતી પુસ્તિકાઓ ઉપલબ્ધ હોય તો એક મોટી સમાજસેવા થઈ ગણાય; તેથી જ જાણીતા ન્યુરૉફિઝિશિયન ડૉ. સુધીરભાઈ વી. શાહે લખેલું “મગજ અને જ્ઞાનતંતુના રોગો’ નામનું આ પુસ્તક એક આશીર્વાદ સમાન છે તેમ કહેવામાં મને કોઈ અતિશયોક્તિ જણાતી નથી. જ્યારે જૂના રોગો ફરીથી માથું ઊંચકી રહ્યા હોય અને નવા રોગોનો પગપેસારો થઈ ચૂક્યો હોય તેવા સમયે જે તબીબને દર્દી અને સગાંઓની ચિંતા હોય અને જેના હૈયે દર્દીઓ તથા સામાન્ય જનતાનું હિત વસ્યું હોય તે તબીબ જ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી પુસ્તક લખવા માટે સમય કાઢે અને રાતઉજાગરા કરીને પણ પોતાનું લખાણ પૂરું કરે અને વળી પોતાને ખર્ચે તેને પ્રસિદ્ધ કરે. ‘હું એકલો શું કરી શકું?” તેવા નકારાત્મક, નિરાશાવાદી વલણને બદલે “એકલો જાને રે’ એ સિદ્ધાંતે ડૉ. સુધીરભાઈએ આ દિશામાં પ્રથમ પગલું માંડ્યું છે. આ પૂર્વભૂમિકા સમજ્યા પછી પુતકની વાત કરીએ. એટલું તો વિનાસંકોચ કહેવું જ જોઈએ કે વિશેષજ્ઞ ડૉ. સુધીરભાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy