SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ મૂવમેન્ટ ડિસઓર્ડર્સ અને ડિસ્ટોની ૧૦૫ શકાય છે. આ રોગની સારવાર માટે ઝિંક (જસતના ક્ષાર), પેનિસિલામાઇન, ટ્રાયેન્ટિન વગેરે મહત્ત્વની દવાઓ છે, પરંતુ કઈ દવા ક્યારે અને કેટલા ડોઝમાં લેવી તે તો ડૉક્ટર જ નક્કી કરી શકે, કારણ કે દવાની આડઅસર પણ છે. આ જ રીતે હાડકાંની, મૂત્રપિંડની ક્ષતિ, લોહીના વિકારો વગેરેની લગતી સારવાર પણ જરૂરી છે. જો યકૃત વધુ પડતું બગડી ગયું હોય તેવા સંજોગોમાં યકૃત બદલવાની સારવાર અપાય છે, જે અતિશય ખર્ચાળ છે. આમ મૂવમેન્ટ ડિસ્ઑર્ડસૂનો કોઈ પણ દર્દી ખાસ કરીને તરુણાવસ્થા અને યુવાવસ્થામાં હોય તો તેનો રોગ વિલ્સન્સ ડિસિઝ છે કે નહિ તે જોવું અત્યંત જરૂરી છે. આ છેલ્લે, કેટલીક એલોપેથિક દવાની આડઅસરથી થતાં મૂવમેન્ટ ડિસઓર્ડર્સની નોંધ કરીશું : (૧) ડિસ્કાઇનેસીઆ : ફીનોથાયેઝીન્સ, લીવોડોપા વગેરે દવાથી થતા કોરીઆ, ડિસ્ટોનીયા (૨) ડિસ્ટોનીઆ : ન્યુરોલેપ્ટિક ગ્રૂપની દવાઓથી થતી હાથપગની વિચિત્ર ખેંચાણભરી અવસ્થા (૩) એકીથીસીયા : એન્ટિસાયકોટિક દવાઓથી થતી એક પ્રકારની અજંપાભરી પરિસ્થિતિ (૪) પાર્કિન્સોનિઝમ : દા.ત., હેલોપેરીડોલ, માનસિક રોગોની દવાઓથી થતો કંપવાત (૫) કોરીઆ : દા.ત., ગર્ભનિરોધક દવાઓ (૬) ન્યુરૉલેપ્ટિક મેલિગ્નન્ટ સિન્ડ્રોમ : એન્ટીસાયકોટિક દવાઓની આડઅસરને પરિણામે થઈ શકે, જેમાં તાવ આવે, શરીર જકડાઈ જાય. લોહીમાં સી.પી.કે. એન્ઝાઈમ વધી જાય. (૭) ટાર્ટિવ ડિસ્કાઈસીઆ : ન્યુરૉલેપ્ટિક દવાઓના લાંબા ગાળાની વપરાશથી થતા કોરીઆ, ડિસ્ટોની વગેરે. (૮) સીરોટોનીન સીન્દ્રોમ : હતાશા-ડિપ્રેશનની સારવારમાં વપરાતી સીરોટોનીન વધારવાની દવાઓથી ધ્રુજારી, ગભરામણ તથા તાવ, અસંતુલન જેવાં લક્ષણો-ચિહ્નો થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy