SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૨) પેરાપિરામિડલ સિસ્ટમમાં મુખ્યત્વે બ્રોસ્પાઇનલ, ટેક્ટોસ્પાઇનલ, રેટીક્યુલોસ્પાઇનલ, વેસ્ટીબ્યુલોસ્પાઇનલ વગેરે ચેતાસમૂહો આવેલા છે. તેમનું કામ પિરામિડલ સિસ્ટમ પર પોતાનો પ્રભાવ બતાવવાનો છે જેથી ઇચ્છાવર્તી કાર્યો-ક્રિયાઓ અમુક રીતે નિશ્ચિત ક્રમ પ્રમાણે જ થાય. આમાં રેડ ન્યુક્લીસ, ટેક્ટમ અને નાનું મગજ એમ મગજના અનેક અવયવો સંકળાયેલા છે. આમાં, ક્ષતિ થાય તો અસંતુલન અને ધ્રુજારી વગેરે લક્ષણો-ચિહ્નો આવે. . (૩) આ પ્રકરણમાં જે રોગો વિષે વાત કરવાના છીએ, તેને મૂવમેન્ટ ડિસઑર્ડર્સ (હલનચલનની ખામીઓ-ક્ષતિઓ) કહે છે. આ રોગોમાં મુખ્યત્વે બેઝલ ગેન્ગલીઆ નામના મગજના મધ્ય ભાગમાં આવેલા કોષસમૂહો અગત્યનો ભાગ ભજવે છે અને આ સિસ્ટમને એસ્ટ્રાપિરામિડલ સિસ્ટમ કહે છે. આકૃતિમાં જણાવ્યા મુજબ તે ફંટલ લોબ, ગ્લોબસ પૅલીડસ, પુટામેન, કૉડેટ ન્યુક્લીઅસ, ક્લોસ્ટ્રમ તથા એમાયડેલા નામના કોષોના બેઝલ ગેગ્લીયા કૉડેટ ન્યુક્લિયસ - - ઈન્ટરનલ કેમ્પલ - - નો, * * થેલેમસ મગજનો આડછેદ ગ્લોબસ પૅલીડસ યુટામેન સમૂહોના બનેલા છે. એ પિરામિડલ સિસ્ટમને પોતાની રીતે કંટ્રોલ કરે છે. પણ આ સિસ્ટમની કાર્યવાહીમાં રુકાવટ આવે તો લકવો એટલે કે પૅરૅલિસિસ ન થાય પરંતુ નીચે જણાવેલી બે જાતની તકલીફો થાય, જેને આપણે લક્ષણ-ચિહ્નસમૂહ કે સિન્ડ્રોમ નામે ઓળખીશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy