SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો તેથી વધુ વખત આવા કરંટ જેવા દર્દની પીડા દર્દીને લાચાર બનાવી દે છે. તેને કશું જ ગમે નહીં. ઠંડું પાણી અડે કે તે ખોરાક ખાવા મોટું ખોલે કે ઠંડા પાણી-પવનની લહેર આવે તો પણ દર્દ ચાલુ થઈ જાય. ટ્રાઇજેમિનલ નસ ત્રણ ભાગમાં વહેંચાયેલી હોવાથી પ્રથમ ભાગમાં તકલીફ થાય તો કપાળ પર દર્દ થાય છે, બીજા ભાગમાં તકલીફ થાય તો ગાલ પર અને ત્રીજા ભાગમાં તકલીફ થાય તો હડપચી પર આવો દુખાવો થાય છે. સામાન્ય રીતે આ રોગ પ નંબરની ચતા પર કોઈ નાનકડી રક્તવાહિનીના દબાણને કારણે થતો હોય છે. સામાન્ય રીતે ન્યુરોલૉજિકલ તપાસમાં કોઈ ખામી જણાતી નથી પણ જો સાથે જે તે ભાગમાં સંવેદના ઘટી ગઈ હોય અથવા સાથે બીજી નસો (દા.ત., સાથે ૬ કે ૭ નંબરની નસ) પર ગરબડનાં ચિહનો હોય અથવા દર્દીની ઉંમર ૪૦થી નીચે હોય તો, એમ.આર.આઈ.બ્રેઇન (કૉન્ટ્રાસ્ટ સાથે અને ક્યારેક એમ.આર.ઍન્જિઓગ્રાફી) કરાવી લેવું જોઈએ, કેમ કે આ પ્રકારના કેટલાક કેસમાં પ નંબરની નસ પર અથવા તેની આજુબાજુ ગાંઠ હોઈ શકે અથવા મલ્ટીપલ ક્લેરોસિસ (આ રોગ આપણા દેશમાં એટલો બધો જોવા મળતો નથી) નામનો વિચિત્ર રોગ હોઈ શકે. ટ્રાઇજેમિનલ ન્યુરાસ્જિઆની ટ્રિટમેન્ટ પ્રથમ તો મેડિકલ એટલે કે દવાઓથી કરવી જોઈએ. મુખ્ય દવા છે કાબૂમેઝેપીન (ટગ્રેટોલ, કાર્મેટોલ, ઝેટોલ વગેરે). તેની અસર ૮૦% જેટલા દર્દીમાં ઘણી સારી હોય છે. બાકીના દર્દીઓમાં ફીનાઇટોઇન, ગાબાપેન્ટીન, ક્લોઝપામ અને બેક્લોફેન વગેરે દવાઓ વાપરી શકાય. - દર્દને હળવું કરવા દુખાવાની ગોળી પણ ઉમેરી શકાય. આલ્કોહોલનું લોકલ ઈન્વેક્શન તે નસમાં આપવાથી ૩-૪ મહિના સુધી દુ:ખાવામાં રાહત થઈ શકે. ટ્રાઇજેમિનલ ન્યુરાબ્રુિઆમાં RFTC એટલે કે રેડિયો ફ્રિક્વન્સી થર્મોકોએગ્યુલેશનથી નસને શાંત કરવામાં આવે છે. આ ઉપાય સચોટ છે અને ઘણાખરા દર્દીઓને ઓ.પી.ડી. પ્રોસિજર તરીકે કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy