SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રકાશકીય ફુરણા • द्वात्रिंशिका સોનામાં સુગંધ ભળે તેમ મુનિશ્રીએ “કાત્રિશિકા પ્રકરણ’ ઉપર ગુજરાતી વિવરણની સાથોસાથ સંસ્કૃત વિવરણ પણ તૈયાર કર્યું. સંસ્કૃતવિવરણ “નયેલતા ટીકાસ્વરૂપે તથા ગુજરાતી વિવરણ “દ્વાર્નાિશિકા પ્રકાશ' વ્યાખ્યારૂપે પ્રસ્તુત પ્રકાશનમાં સમાવેશ પામેલ છે. પ્રાચીન મુદ્રિત પ્રકાશનોમાં રહેલી અશુદ્ધિઓને આઠ હસ્તલિખિત પ્રતો દ્વારા દૂર કરીને મૂળ ગ્રંથ તથા સ્વોપજ્ઞટીકાને શુદ્ધ કરવાનું તથા અધ્યેતાવર્ગને સહાયક બને તેવી સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યા લખવાનું એક અત્યંત આવશ્યક અને ઉપયોગી કાર્ય મુનિશ્રીએ કરેલ છે તથા અમારા શ્રીસંઘને આઠ ભાગમાં એકીસાથે આ ગ્રંથરત્નને પ્રકાશિત કરવાનો અમૂલ્ય અને અનુપમ લાભ આપેલ છે તે બદલ અમે મુનિશ્રીનો આભાર માનીએ છીએ. તેમ જ ભવિષ્યમાં પણ આવા અણમોલ સાહિત્યના પ્રકાશનનો અમને લાભ આપવાની તેમને વિનંતી કરીએ છીએ. સચ્ચારિત્રચૂડામણિ કર્મસાહિત્યનિષ્ણાત સિદ્ધાન્તમહોદધિ સ્વ.પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનું અમો આ પ્રસંગે અત્યંત આદરભાવથી સંસ્મરણ કરીએ છીએ. તેઓશ્રીની અસીમ કૃપાદૃષ્ટિથી અમારો સંઘ સદા નવપલ્લવિત રહ્યો છે. તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ પરમપૂજ્ય સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજને અમે કદાપિ વિસરી નહિ શકીએ. તેઓશ્રીએ ચાતુર્માસ-ઉપધાન આદિ આરાધનાઓ કરાવીને અમારા શ્રીસંઘમાં નવજાગૃતિ લાવવાનું કાર્ય કરેલ છે. તેઓશ્રીના પટ્ટાલંકાર પરમપૂજ્ય સિદ્ધાન્તદિવાકર ગીતાWશિરોમણિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા તો અમારા માટે કલ્પવૃક્ષ સમાન છે. તેઓશ્રીની નિશ્રામાં તો અમારા શ્રીસંઘના આંગણે અંજનશલાકા-પ્રતિષ્ઠામહોત્સવ-દીક્ષા-પદવી આદિ અનેક પાવનપ્રસંગો ઉમળકાભેર ઉજવાયા તથા અનેકાનેક શાસનપ્રભાવક મહાત્માઓના ચાતુર્માસ અમને તેઓશ્રીની અમીદ્રષ્ટિથી પ્રાપ્ત થઈ રહેલા છે. અમારા શ્રીસંઘના માર્ગદર્શક મધ્યસ્થશિરોમણિ પૂજ્ય આચાર્યદેવશ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા.ને તો અમે કેમ વિસરી શકીએ ? પૂજ્ય શાસનપ્રભાવક પદ્મમણિતીર્થોદ્ધારક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજશ્રીનું પણ આ અવસરે વિસ્મરણ અશક્ય છે. તેમના શિષ્ય મુનિશ્રી યશોવિજયજીએ દ્વાત્રિશિકા મૂળ ગ્રંથ તથા સ્વોપજ્ઞવૃત્તિનું આઠ હસ્તપ્રતના આધારે સંશોધન કરી તથા પ્રસ્તુત ગ્રન્થરત્નના બે નૂતન વિવરણો તૈયાર કરી આઠેય ભાગનું પ્રકાશન કરવાનો લાભ અમને આપેલ છે તે બદલ તેમના પણ અમો આભારી છીએ. આઠેય ભાગનું પ્રકાશન અમારા સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી થયેલ છે તે બદલ અમેં ગૌરવ અનુભવીએ છીએ. આઠેય ભાગનું પરિશિષ્ટ તૈયાર કરવામાં સહાયતા કરનાર પરમપૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યદેવશ્રી પધસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન મુનિરાજશ્રી પ.પૂ.અજયસાગરજી મ.સા., શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાના કોમ્યુટર વિભાગના ઇન્ચાર્જ શ્રી કેતનભાઈ શાહ તથા સુંદર કમ્પોઝ-મુદ્રણ કરીને સમયસર પ્રકાશન કરવામાં શ્રી પાર્શ્વ કોમ્યુટર્સવાળા શ્રી અજયભાઈ શાહ તથા શ્રી વિમલભાઈ પટેલ વગેરેનો અમે ખૂબ જ હાર્દિક આભાર માનીએ છીએ. તે જ રીતે આ ગ્રંથના પ્રકાશનાદિમાં જે કોઈ પણ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વગેરેનો પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર મળેલ હોય તે સહુનો અમે આભાર માનીએ છીએ. પ્રાન્ત, પ્રસ્તુત મહાગ્રન્થસ્વરૂપ સ્ટીમરમાં બેસી સહુ મુમુક્ષુઓ ભવસાગરનો ઝડપથી પાર પામી શાશ્વત પરમપદને પરમાનંદને પ્રાપ્ત કરે એ જ શુભકામના. જેઠ સુદ-૧૦, વિ.સં.૨૦૫૯ લિ. શ્રી અંધેરી ગુજરાતી જૈન સંઘ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy