SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ 4 વિજય જયઘોષસૂરિ તરફથી... અંતરના આશિર્વચન द्वात्रिंशिका શ્વે.મૂ.જૈન સંઘ-જૈન શાસનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજનું સાહિત્ય અતિઉચ્ચ સ્થાન ધરાવે છે. તેમાં પણ બત્રીસ-બત્રીસી ગ્રન્થ અનેક રીતે અજોડ છે. મહોપાધ્યાયજીએ કાશીમાં જૈનેતરવાદી ઉપર વિજય પ્રાપ્ત કરીને જૈનશાસનની જયપતાકા કાશીના ગગનમાં લહેરાવી હતી. એનું શ્રેય ખરેખર શ્રી જિનેશ્વરદેવ પ્રકાશિત અનેકાન્તવાદ-સ્યાદ્વાદને જાય છે. એકાન્તવાદની વાસના અતિભૂંડી છે. જૈનેતર દર્શનોમાં પ્રરૂપેલા એકાન્તવાદપોષક સિદ્ધાન્તો જૈનદર્શનમાં માન્ય કરવામાં આવતા નથી. જૈન દર્શનમાં પણ જમાલિનો ‘કડેમાણે કડે' સંબંધી એકાન્તવાદ, ગોશાળાનો એકાન્તનિયતિવાદ કે દિગમ્બરોનો એકાન્ત અચેલકત્વ(નગ્નતા)નો આગ્રહ કે પુનમિયાગચ્છ વગેરેનો પુનમની પક્ષીનો આગ્રહ માન્ય રખાયો નથી. સિદ્ધાન્ત ગમે એટલો સોહામણો હોય પણ એમાં એકાન્તવાદ ભળ્યો એટલે એ ધાતક-નુકસાનકારકસંઘર્ષદાયી કજીયાનો ઉત્તેજક બનતા વાર લાગતી નથી. Jain Education International વિ.સં.૨૦૫૯, આસો સુદ-૨ ઘાટકોપર જૈન સંઘ, મુંબઈ. એકાન્તવાદની અનાદિકાલીન મલિન વાસનાને તોડવા માટે શ્રી હરિભદ્રસૂરિ મ. કે શ્રી ઉપાધ્યાય યશોવિજય મ.ના ગ્રન્થરત્નો અત્યન્ત સહાયક પુરવાર થયા છે. શ્રી સંઘમાં પ્રવેશતા-ઘુસી આવતા એકાન્તવાદને રોકવા માટે મહોપાધ્યાય યશોવિજય મ.ના ગ્રન્થરત્નોનું અધ્યયન યોગ્ય રીતે વ્યાપક બને તે માટે સ્વ.પૂ. ગુરુદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સાહેબે સ્વસમુદાયમાં અનેક મુનિઓને પ્રબળ પ્રેરણાઓ કરેલ હતી. તેના શુભપરિણામે આજે આ સમુદાયમાં અનેક મહાત્માઓએ ઉપાધ્યાયજીના અનેક ગ્રન્થો સારી રીતે સમ્પાદિત અને અનુવાદિત કરીને શ્રીસંધને અર્પણ કર્યા છે. આ પુનિત પરમ્પરામાં મુનિ યશોવિજયજીએ પણ પોતાનો વિશાળ ફાળો નોંધાવ્યો છે. એમની તીક્ષ્ણ બુદ્ધિ અને વ્યાપક અધ્યયનના ફળસ્વરૂપે આજે બત્રીસ-બત્રીસી મહાગ્રન્થ પુનઃ સમ્પાદિત અને અનુવાદિત થઈને સટીક (આઠ ભાગોમાં) પ્રકાશિત થઈ રહ્યો છે એ ઘણા જ આનંદની વાદ છે. તેમણે કરેલો ભગીરથ પુરુષાર્થ પાને પાને પ્રગટ થયા વગર રહ્યો નથી. શ્રી સંઘમાં તેનું સૂક્ષ્મ બુદ્ધિથી અધ્યયનસંશોધન વધવા દ્વારા પ્રચુર કર્મનિર્જરા થાય અને વહેલી સર્વજ્ઞતા પ્રાપ્ત થાય એ જ ૫૨મ પુનિત પુણ્ય કામના. ૬. આ. વિજય જયસુંદરસૂરિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy