SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ २५० • સમરશરીનાપતિદેહુવિવાર: • द्वात्रिंशिका-४/१२ धारणाऽनुकूलप्रयत्नवदीश्वरसंयोगस्य धारणाऽवच्छिन्नेश्वरप्रयत्नस्यैव वा तत्त्वे स एव दोषो कत्वे अतिप्रसङ्गः = नैयायिकाऽभिमतस्य प्रयत्नवदीशसंयोगस्य व्यापकतया समरेऽपि शरपाताऽनापत्तेः । न च धारणानुकूलत्वविशेषणप्रक्षेपान्नायं दोष इति वाच्यम्, धारणाऽनुकूलप्रयत्नवदीधरसंयोगस्य तत्त्वे = ब्रह्माण्डधारकत्वे स एव = समरे शराऽनापातलक्षणो दोषः, तादृशसंयोगस्य व्यापकत्वात्, समवायसम्बन्धेन पतनप्रतिबन्धकसंयोगलक्षणायाः धृतेः ब्रह्माण्डे सत्त्वेन ब्रह्माण्डाऽन्तर्गतशरस्याऽप्यनापाताऽऽपत्तेः। न च तादृशसंयोगस्य व्यापकत्वेऽपि बाणादौ पतनावच्छिन्नेश्वरप्रयत्नसत्त्वान्न तत्पाताऽनापात इति वाच्यम, इत्थं धारणावच्छिन्नेश्वरप्रयत्नस्यैव तत्त्वे = धारकत्वे स एव= समराङ्गणे सायकाऽनापातलक्षणो दोषः, धारणावच्छिन्नेश्वरप्रयत्नस्य पतनावच्छिन्नेश्वरप्रयत्नाऽभिन्नत्वात्, नैयायिकराद्धान्ते महेश्वरस्य नित्यैककृतिमत्त्वात् । બ્રહ્માંડ વગેરેના ધારક માનવામાં આવે તો ઝાડ પરથી પડતા પાંદડા, પર્વત ઉપરથી પડતા ઝરણાં વગેરે પણ પડી નહિ શકે, કારણ કે પ્રયત્નવિશિષ્ટ ઈશ્વર ન્યાયમતાનુસાર વિભુ = સર્વવ્યાપી હોવાથી તેનો સંયોગ પાંદડા, ઝરણાં વગેરે તમામ પદાર્થો સાથે રહેલ છે. મતલબ કે ઈશ્વરસંયોગ સર્વત્ર જગતમાં રહેલો હોવાથી કોઈ પણ પદાર્થ ક્યારેય પણ પડી જ નહિ શકે. આ દોષ નૈયાયિકમતમાં આવશે. પૂર્વપક્ષ :- ધારણાઅનુકૂલ પ્રયત્નવિશિષ્ટ ઈશ્વરના સંયોગને ધારક માનવાથી ઉપરોક્ત દોષને કોઈ અવકાશ નહિ રહે. કારણ કે ઈશ્વરીય પ્રયત્ન કાંઈ પડી રહેલા પાંદડા વગેરેના ધારણને અનુકૂળ નથી. પરંતુ પર્વત, બ્રહ્માંડ વગેરેના ધારણને અનુકૂળ છે. આથી પડતા પાંદડા ન પડે તેવી કોઈ દુર્ઘટના નહિ સર્જાય. અથવા તો લાઘવ સહકારથી એમ કહી શકાય કે ધારણાઅવચ્છિન્ન ઈશ્વરપ્રયત્ન જ ધારક છે. પર્વત વગેરેમાં ધારણાઅવચ્છિન્ન ઈશ્વરીય પ્રયત્ન રહેલ હોવાથી પર્વત વગેરેનું પતન થશે નહિ. તથા ઘટ, પટ વગેરેનું પતન થઈ શકશે. માટે કોઈ દોષને અવકાશ રહેતો નથી. ઉત્તરપક્ષ :- ઉપરની બન્ને વાત વ્યાજબી નથી. કેમ કે ધારણાનુકૂલપ્રયત્ન-વિશિષ્ટઈશ્વરસંયોગને ધારક માનવામાં આવશે તો પણ વૃક્ષ પરથી પડી રહેલા પાંદડા પડી નહિ શકે. આનું કારણ એ છે કે એ સમયે પણ ઈશ્વરનો પ્રયત્ન બ્રહ્માંડને ધારણ કરવાને અનુકૂળ હોય છે. અને ઈશ્વર નૈયાયિકમતે વિભુ હોવાથી પડતા પાંદડા સાથે પણ તેનો સંયોગ છે જ. તેથી ધારણાનુકૂલપ્રયત્નવિશિષ્ટઈશ્વરસંયોગ પડતા પાંદડામાં રહેવાના લીધે તે પડી નહિ શકે. આનું નિવારણ કરવા તૈયાયિકે ઉપરોક્ત સંયોગને સ્વજનકવૃત્તિ ધારણા અવચ્છિન્ન વિશેષ્યતા સંબંધથી ધારક માનવો પડશે. (= ધારકતાઅવચ્છેદક સંબંધ માનવો પડશે. ધારક જે સંબંધથી રહે તે સંબંધને ધારકતાઅવચ્છેદક કહેવાય.) પ્રસ્તુતમાં ધારકતાઅવચ્છેદક સંબંધની કુક્ષિમાં રહેલ સ્વશબ્દથી સંયોગ = ઈશ્વરસંયોગ = ધારણાઅનુકૂલપ્રયત્નયુક્તઈશ્વરસંયોગ લેવાનો છે. તેનો જનક પર્વત, ધરતી, સૂરજ, ચંદ્ર વગેરે છે, નહિ કે પતનશીલ પાંદડા વગેરે. કેમ કે પતનશીલ પાંદડા વગેરેમાં ઈશ્વરસંયોગ હોવાથી તેઓ ઈશ્વરસંયોગના જનક છે પણ ધારણાનુકૂલપ્રયત્નવિશિષ્ટ ઈશ્વરસંયોગના ઉત્પાદક નથી. કેમ કે તેને ધારણ કરવાનો ઈશ્વરનો પ્રયત્ન નથી હોતો. પર્વત વગેરે તથાવિધ ઈશ્વરસંયોગના જનક છે અને તેઓ ધારણ કરાઈ રહેલા છે. કેમ કે તેઓને ધારણ કરવાનો ઉદેશ રહેલો છે. આથી તથાવિધ ધારણાઅવચ્છિન્ન વિશેષ્યતા પર્વત, સૂર્ય, ચંદ્ર વગેરેમાં આવશે. પતનશીલ પાંદડા વગેરેમાં નહિ. આમ ધારણાનુકૂલ પ્રયત્ન વિશિષ્ટ ઈશ્વરસંયોગ સ્વજનવૃત્તિધારણાઅવચ્છિન્નવિશેષ્યતા સંબંધથી પર્વત, સૂર્ય, ચન્દ્ર વગેરેમાં રહેવાને લીધે તેનું પતન નહિ થાય અને પતનશીલ પાંદડા વગેરેમાં ૨. મુદ્રિતતો ‘ધારવ..” ફત્રશુદ્ધ: વાd: ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy